સારસિદ્ધિ કડવું - ૪૩

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:42pm

વારીવારી જાઉં વાલમજી મારાજી, આજ શોભ્યા છો સૌથી સારાજી

પ્રાણજીવન ઘનશ્યામ છો પ્યારાજી, નિજજનને મહાસુખના દેનારાજી ।।૧।।

 ઢાળ - 

સુખ દેવાને શ્રીહરિ, પ્રભુ પ્રગટ થયા તમે આજ ।।

મહા સુખમય મૂર્તિ ધરી, કયાર્ં અનેક જનનાં કાજ ।। ર ।।

આગે મત્સ્ય કચ્છ વારાહ વપુ, થયા નરહરિ રૂપે નાથ ।।

કયાર્ં કારજ નિજ જનનાં, પણ સેવી સુખી ન થયો જનસાથ ।। ૩ ।।

વામન રૂપને ધરી હરિ, કર્યું બળિ રાજાનું કામ ।।

એ પણ રૂપ અનુપમ હશે, પણ સંતે સેવી ન કરી પૂરી હામ ।। ૪ ।।

પરશુરામે ફરશી ફેરવી, કરી ભૂપ રહિત ભૂમિકા ।।

તેને પણ સત્ત્વગુણી સંત, સેવી સુખ નવ લઈ શકયા ।। પ ।।

રામ પ્રભુ તે રાજા થયા, તેને ગરીબ કેમ પૂજી શકે ।।

દુર્બળ જાયે કોઈ દર્શને, તો દ્વારપાળ મારે ધકે ।। ૬ ।।

કૃષ્ણરૂપે અનુપ આપે થયા, કયાર્ં અનેક જીવનાં કાજ ।।

પણ એમનું એમ રાખ્યું નહિ, પછી થયા રાજઅધિરાજ ।। ૭ ।।

બુદ્ધ શુદ્ધ બોધ દેઈને, તાર્યા જીવ અનંત અપાર ।।

કલકી ભાર ઉતારવાને, હરિ હવે લેશે અવતાર ।। ૮ ।।

એવા સર્વે અવતાર સૂચવી, ભાવે પ્રભુના ભાખિયા ।।

પણ આજ સંતને સુખ આપતાં, કોઈ રીતે ઊણા ન રાખિયા ।। ૯ ।।

અનેક પ્રકારે આશ્રિત જનને, આપ્યો અખંડ આનંદ ।।

નિષ્કુળાનંદ સુખદ સહુના, સ્વામી તે સહજાનંદ ।। ૧૦ ।।કડવું ।।૪૩।।