સારંગપુર ૧૫ : મુગ્ધા્, મઘ્યા અને પ્રૌઢાનું

Submitted by Parth Patel on Wed, 09/02/2011 - 12:01am

સારંગપુર ૧૫ : મુગ્ધા્, મઘ્યા અને પ્રૌઢાનું

સંવત્ ૧૮૭૭ના ભાદરવા સુદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પોતાના મુખાર-વિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, લ્‍યો અમે પ્રશ્ર્ન કરીએ છીએ જે ”બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિષે અત્‍યંત પ્રીતિ છે અને ભગવાનનાં દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બાહેર પણ ધણો દીઠામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્‍મનિષ્‍ઠા પણ છે અને વૈરાગ્‍ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિષે પ્રીતિ પણ છે તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કહ્યો તેને તો આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય એ બેય નથી તો પણ એની ભકિત અતિશે શોભે છે. અને આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍યે યુક્ત છે તો પણ તેની ભકિત તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી, એ બે પ્રકારના ભક્તમાં કેની ભકિત શ્રેષ્‍ઠ છે ? ને કેની ભકિત કનિષ્‍ઠ છે ? એ પ્રશ્ર્ન છે” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામી બોલ્‍યા જે, આત્‍મનિષ્‍ઠા અને વૈરાગ્‍ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશે પ્રેમ છે તેજ સરસ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ”જેને વૈરાગ્‍ય ને આત્‍મનિષ્‍ઠા નથી તેને શ્રેષ્‍ઠ કહો છો તે શી સમજણે કહો છો ? કેમ જે એ તો દેહાભિમાની છે માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચવિષયનો યોગ થશે ત્‍યારે એને વિષયમાં પ્રીતિ થઇ જશે, પછી ભગવાનને વિષે એવી પ્રીતિ નહિ રહે તેને તમે શ્રેષ્‍ઠ કેમ કહો છો ?” પછી સ્‍વયંપ્રકાશાનંદ સ્‍વામી બોલ્‍યા જે, જેને વિષયમાં પ્રીતિ થઇ જાય એને અમે પ્રેમી કહેતા નથી, અમે તો ગોપીયો ૧જેવા ભક્ત હોય તેને કહીએ છીએ.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ગોપીયો કાંઇ ભોળિયો નહોતી, એતો આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍યે યુક્ત હોય તેની સમજણને ઉલ્‍લંધી જાય એવી ડાહિયો હતી, જેમ કોઇ રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીયુંને બોલ્‍યામાં ડહાપણ હતું, અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્‍યા જોઇએ તેમ જાણતી હતી અને સર્વે યાદવમાં અતિશે ડાહ્યા ને ભગવાનના ચોવટીયા એવા જે ઉદ્ધવજી તે ગોપીયોની સમજણ જોઇને ગદ્ગદ્ કંઠ થઇ ગયા અને તે ઉદ્ધવજી એમ બોલ્‍યા જે, ‘ગોપીયો પાસે મને જ્ઞાન કહેવા મોકલ્‍યો તે તો ભગવાને મારી ઉપર અતિશે અનુગ્રહ કર્યો.’ અને પોતે ગોપીયોને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીયુંનાં વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે,’ગોપીયો તો એવી બુિદ્ધમાન નહોતી’ તો એમાં તો મુગ્‍ધા, મઘ્‍યા અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા, તેમાં મુગ્‍ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ધણો કરે અને એમ બોલે જે ‘અમે તમારે અર્થે કરી કરીને મરી ગયાં તો પણ તમે નજરમાં લાવતા નથી અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડાં તોછડાં વચન બોલે જે ‘જાણીએ જે હમણાં વિમુખ થઇ જશે એેવી જાતનાં જેનાં શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મુગ્‍ધા જાણવી. અને જે મઘ્‍યા હોય તેતો કોઇ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે અને ડહાપણે કરીને યુકિતએ યુકિતએ પોતાનું સ્‍વાર્થીપણું બીજાને જણાવા દે નહિ અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલું ભગવાનનું ગમતું કરે નહિ. અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઇક પોતાનું ગમતું કરવાની યુકિત જરૂર રાખે, એવાં જેનાં શાસ્ત્રને વિષે વચન હોય તે ગોપીને મઘ્‍યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણેજ ચાલે અને કોઇ રીતે પોતાના સ્‍વાર્થને અર્થે યુકિત કરે નહિ અને કેવળ ભગવાનને રાજી કરવાને ઇચ્‍છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતેજ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપી હોય તે ઉપર ઇર્ષ્યા, ક્રોધ કરેજ નહિ અને માન મત્‍સર આદિક સર્વે વિકારનો ત્‍યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન, કર્મ, વચને કરીને કોઇ કાળે કરે નહિ, એવાં જેનાં શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્‍ધા, મઘ્‍યા અને પ્રૌઢા એવા ગોપીયોના ભેદ છે, માટે ગોપીયુંની સમજણમાં તો અતિશે વિવેક હતો તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહિ અને ગોપીયો તો ભગવાનના મહિમાને યથાર્થ જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્‍મનિષ્‍ઠા અને વૈરાગ્‍ય સહેજે એના હૈયામાં વર્તતા હતા, માટે એ ગોપીયોને વિષે તો આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય આદિક અનંત જે કલ્‍યાણકારી ગુણ તે ભગવાનના માહાત્‍મ્‍યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા.

અને એવા ભક્તની રીત તો આમ છે જે, ‘શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ, ગંધ’ એજે પંચ વિષય તે ભગવાન સંબંધીજ ઇચ્‍છે પણ બીજા કોઇ સંબંધી ઇચ્‍છે નહિ,અને ભગવાનને વિષે એ પંચવિષયે કરીને જે અતિશે હેત તે હેતે કરીને વૈરાગ્‍ય ને આત્‍મનિષ્‍ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઇ જગતનો ઘાટ હૈયામાં થાય નહિ.’ અને જેમ વર્ષાદ  ન વરસ્‍યો હોય ત્‍યારે નાના પ્રકારનાં તૃણનાં જે બીજ તે પૃથ્‍વી  ઉપર કાંઇએ ભાસે નહિ અને જ્યારે વર્ષાદ વરસે, ત્‍યારે એટલાં તૃણઉગે જે પૃથ્‍વીજ દેખાય નહિ, તેમ જે આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍યે કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઇ વિષયના ઘાટ જણાતા નથી તો પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્‍યારે વિષયના ઘાટ થવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્‍ટ થઇ જશે ને પરમેશ્વરની તો હૈયામાં સ્‍મૃતિ પણ નહિ રહે ને અખંડ વિષયનું ઘ્‍યાન થશે. પછી એ જે વૈરાગ્‍ય ને આત્‍મનિષ્‍ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે,’મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી, માટે આત્‍મનિષ્‍ઠા ને વૈરાગ્‍ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશે ન્‍યૂન છે. અને જેને આત્‍મનિષ્‍ઠા છે, વૈરાગ્‍ય છે ને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ  છે તે તો એમ જાણે છે જે, ”મારા જીવાત્‍માને વિષેજ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે’ એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિનાં દર્શન, સ્‍પર્શાદિકને વિષે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે તો પણ તેની પ્રીતિનાં મૂળ ઉડાં છે તે કોઇ કુસંગને યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્‍ઠ છે ને એકાંતિક છે. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૫|| ||૯૩||