હવે મારા વ્હાલાને નહિ રે વિસારું રે (૨)?

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 6:45pm

રાગ - ધોળ

પદ- ૧

હવે મારા વ્હાલાને નહિ રે વિસારું રે;

શ્વાસઊચ્છવાસે  તે નિત્ય સંભારું રે. ૧

પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે;

હવે હું  તો કેમ કરી રાખીશ છાનુંરે. ૨

આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે;

એ વર ન મળે ખરચે નાણું રે. ૩

એ વર ભાગ્ય વિના નવ ભાવે રે;

એ સ્નેહ લગ્ન વિના નવ આવેરે. ૪

દુરીજન મન રે માને  તેમ કહેજો રે;

સ્વામી મારા હૃદીયાની ભતર રહેજો રે. ૫

હવે હું  તો પૂરણ પદવીને પામી રે;

મળ્યા મુને નિષ્કુળાનંદનો સ્વામી રે. ૬

 

પદ - ૨

હવે મારા વ્હાલાનાં દર્શન સારું;

હરિજન આવે હજારે હજારું. ૧

ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી;

પૂરણ પુરુષોત્તમ અંતર જામી. ૨

સભા મધ્યે બેઠાં મુનિનાં વૃંદ;

તેમાં શોભે  તારે વટ્યો જેમ ચન્દ. ૩

દુર્ગપુર ખેલ રચ્યો અતિ ભારી;

ભેળા રમે સાધુ ને બ્રહ્મચારી. ૪

તાળી પાડે ઊપડતી અતિસારી;

ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી. ૫

પાઘલડીમાં છોગલીયું અતિ શોભે;

જોઇ જોઇ હરિજનનાં મન લોભે. ૬

પધાર્યા વહાલો સર્વે  તે સુખના રાશી;

સહજાનંદ સ્વામી અક્ષરધામના વાસી. ૭

ભાંગી મારી જન્મો જન્મની ખામી;

મળ્યા મુને નિષ્કુળાનંદનો સ્વામી. ૮

Facebook Comments