સારંગપુર ૮ : ઈર્ષ્યાના રૂપનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:49pm

સારંગપુર ૮ : ઈર્ષ્યાના રૂપનું

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી ચૈતન્યાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! ઇર્ષ્યાનું શું રૂપ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઇર્ષ્યા પ્રવર્તે છે અને ક્રોધ મત્‍સર ને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે, અને ઇર્ષ્યાનું એ રૂપ છે જે “પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્‍માન થાય ત્‍યારે તેને દેખી શકે નહિ,” એવો જેનો સ્‍વભાવ હોય તેને એમ જાણવું જે આના હૈયામાં ઇર્ષ્યા છે અને યથાર્થ ઇર્ષ્યા વાળો જે હોય તે તો કોઇની મોટાઇને દેખી શકે નહિ. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૮|| ૮૬ ||