મુને મેલી ગયા રે મહારાજ, કોને કેમ કીજીયે (૧)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 7:59pm

 

વિરહનું

પદ - ૧

મુને મેલી ગયા રે મહારાજ, કોને કેમ કીજીયે. ટેક.

કેમ રે કરીને દિન કાપશું, કરશે કુણ હવે કાજ. કોને કેમ૦૧

પાટે બેસી સુખ આપતા, કાપતા કષ્ટ કલેશ;

રમુજ કરીને બોલાવતા, હેતે હરખી હમેશ. કોને કેમ૦ ૨

આધિ વ્યાધિ ઊપાધિ ને, નાશ કરતા નેદાન;

ખાન પાન સનમાનને, દેતા થઈ ગુલતાન. કોને કેમ૦ ૩

કરી આવતા કાંઈ કામને, જયારે જન સુજાણ;

બહુ હેતે ભરી બાથમાં, મળતા કરતા વખાણ. કોને કેમ૦૪

પ્રીત કરીને પૂછતા, સરવે સુખ સમાચાર;

તેરે દિવસ ઘણા સાંભરે, ઊરમાં વારંવાર. કોને કેમ૦ ૫

જયારે જયારે મુને જીવમાં, સૂરત સાંભરે શામ;

આવે હૈયું ઊભરાઈને, જંપ નહિ આઠુંજામ. કોને કેમ૦ ૬

સુખ સરવે સંસારમાં, ઊરથી થયાં ઊદાસ;

અવિનાશાનંદ કે આ સમે, સુખ છે શ્રીહરિ પાસ. કોને કેમ૦ ૭

Facebook Comments