૫૧. શ્રીહરિનું કચ્છમાં વિચરણ, ઉત્સવ માટે જુનાગઢ આવવા પત્ર લખાવ્યો, ધોરાજીમાં રંગોત્સવ કરી જુનાગ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:32pm

રાગ સામેરી-

પછી પ્રભુજી પધારીયા, કચ્છદેશ માંહિ કૃપાળ ।

દેવા દર્શન દાસને, દિનબંધુ દિનદયાળ ।।૧।।

બાળ વૃદ્ધ અંધ અપંગ, અંગે અબળાજન ।

ગામોગામ ને ભવન ભવન, દિધાં તેને દર્શન ।।૨।।

આધુઇ સાપર કોટ કંથા, ભચાઉને ભુજમાં ગયા ।

જીયાં સ્વામી રામાનંદજી, રહેતા બહુ કરી દયા ।।૩।।

માનકુવા ને માંડવી, ગજોડ પુનડી ગામજી ।

ડોણ્ય તેરા તાલ કાળે, ફરીયા સુંદર શ્યામજી ।।૪।।

પછી પોતે પ્રસન્ન થઇ, ઉત્સવની ઇચ્છા કરી ।

દાસને દરશન દેવા, ફેરવી કંકોતરી ।।૫।।

દેશ સોરઠ દુર્ગજુનો, તિયાં સહુ આવજયો તમે ।

સુંદર ચૈતર માસમાં, શુદી પુન્યમે આવશું અમે ।।૬।।

પછી પોતે પધારીયા, કચ્છદેશથી હાલાર ।

સત્સંગી સહુ સંગે લઇ, ચાલ્યા પ્રાણઆધાર ।।૭।।

પછી પોતે આવી કરી, બહુ લીળા ધોરાજીયે ।

સંત સહુને સુખ દેવા, અતિશે મન રાજીયે ।।૮।।

ત્યાંથી પધાર્યા ગઢજાુને, સંગે સર્વે સાથ છે ।

આસ પાસે દાસ દીસે, વચમાં પોતે નાથ છે ।।૯।।

દઇ દદામાં ચાલીયા, પુરબજારે પોતે હરિ ।

અનેક જીવને ઉપરે, દરશનની દયા કરી ।।૧૦।।

આશ્રમ વર્ણ ઓજલની, જે આડે રહ્યાંતાં આવરી ।

તેને ઘેર પધારીયા, હેત જોઇ પોતે હરિ ।।૧૧।।

ભોજન બહુ ભવને કર્યાં, ફરીયા સવેર્શહેર ।

દીન દુરબળ દાસ ઉપર, મહારાજે કરી મેર ।।૧૨।।

વાજિંત્ર બહુવિધનાં, વજડાવિયાં વાજીપરે ।

સંગે સમૂહ જન લઇ, ચાલ્યા કુંડ દામોદરે ।।૧૩।।

નાહિ દામોદર કુંડમાં, બ્રાહ્મણને ભરિ ભાગીયા ।

દિલ ઉદારે દાન દિધાં, જે જે મુખે માગીયાં ।।૧૪।।

જયજય શબ્દે જન બોલે, મનમાં મગન ઘણું ।

પછી પોતે પ્રેમે કરી, કર્યું દર્શન દામોદરતણું ।।૧૫।।

પછી પધાર્યા શહેરમાં, આવ્યા હાટકેશ્વર પોતે હરિ ।

દરશન કરી દેવનાં, તિયાં બિરાજયા દયા કરી ।।૧૬।।

શિવસેવક પાય લાગી, માગી માયા મુખ દુઃખ કઇ ।

તેનું દારિદ્ર કાપીયું, મહોર શત પાંચ દઇ ।।૧૭।।

પછી પધાર્યા પુરબજારે, જોવા નારી જરૂખે ચડી ।

નાથ નિર્ખિ હૈયે હરખી, ધન્યધન્ય માની ઘડી ।।૧૮।।

પછી હાર અપાર ફુલના, પ્રભુને પહેરાવીયા ।

જેવા નયણે નિરખિયા, તેવા અંતરે ઉતારીયા ।।૧૯।।

ત્યાંથી ઉતારે આવિયા, પુછી સીધાની સામગરી ।

વિપ્રને જમાડવાને, તેડાવિયા ભાવે કરી ।।૨૦।।

જમવાનું જાણી બ્રાહ્મણ, રાજી થયા મનમાં ।

અસુર જને વિઘન કિધું, બ્રાહ્મણના ભોજનમાં ।।૨૧।।

સીધું જમાડ્યું સંઘને, પછી પોતે પણ પધારીયા ।

એવી લીલા કરી આપે, શહેર બારા આવી રીયા ।।૨૨ ।।

પછી સંતને શીખ આપી, ફરો કરો હરિવારતા ।

જેજે વચન કહ્યાં અમે, તેહ રખે વિસારતા ।।૨૩।।

પ્રગટ પ્રમાણ વાત કરજ્યો, આસ્તિક જનને આગળે ।

અમે પણ આ સંઘ વળાવી, આવશું તમપાસળે ।।૨૪।।

પછી સંત સધાવિયા, ફરીયા તે દેશોદેશ ।

અનેક જીવને આગળ્યે, કરે હિતનો ઉપદેશ ।।૨૫।।

દામ વામથી દુર વરતે, તજી રસ રસનાતણો ।

તેને દેખી દુષ્ટ દાજયા, માંડ્યો દ્વેષ અતિ ઘણો ।।૨૬।।

જીયાં તિયાંથીજાુલમી જોરે, ઉઠે અસુર મારવા ।

નર નરેશ નજરે દેખે, કોઇ ન આવે વારવા ।।૨૭।।

એક અસુર આવે આપે, સંતાપે સંત સોયને ।

કદ્રજની પેઠે કષ્ટ સહે, કહે નહિ તોય કોયને ।।૨૮।।

વળતી તેની વારતા, સાંભળી શ્રી ભગવાન ।

અતિ દુઃખાણા દિલમાં, ભાવ્યું નહિ ભોજન પાન ।।૨૯।।

પછી સંત પાસળે, પધારીયા પોતે હરિ ।

દેઇ દર્શન મળી વળી, સાધુ શું વાત કરી ।।૩૦।।

સુણો સંત શ્રીહરિ કહે, આપણે બહુબહુ સહ્યું ।

જેમજેમ આપણે ક્ષમા કરી, તેમતેમ દુષ્ટે દુઃખ દયું ।।૩૧।।

આજ પછી એક મારૂં, વચન રૂદીયે ધારવું ।

દુષ્ટ આવે જો મારવા, તેને થોડું ઘણું ડરાવવું ।।૩૨।।

ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહિ કહો એમ ।

ભૂંડા ભૂંડાઇ નહિ તજે તો, ભલા ભલાઇ તજે કેમ ।।૩૩।।

ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય ધન્ય ધન્ય સંત તમે ।

જડભરત કદ્રજ જેવા, ક્ષમાવાન ઓળખ્યા અમે ।।૩૪।।

જયદેવ જેવા મેં જાણિયા, ક્ષમાવંત તમે ખરા ।

તમતુલ્ય ત્રિલોકમાં, માનો નથી મુનિવરા ।।૩૫।।

તમારી ક્ષમા વડે, થાશે નાશ અસુર જનનો ।

વણમારે એ મરશે, તમે ત્રાસ તજજયો તનનો ।।૩૬।।

ક્ષમાસમ ખડગ નહિ, જરણાસમ નહિ જાપ રે ।

ધીરજસમ ઢાલ નહિ, મૌનસમ નહિ શાપ રે ।।૩૭।।

ક્ષમાવાન જનનો, જો અસુર સુર દ્રોહ કરે ।

દેવ દાનવ માનવ મુનિ તે, એહ પાપે આપે મરે ।।૩૮।।

માટે તમે માનજયો, આવ્યો અસુરનો અંત આજથી ।

સુખે ભજો શ્રીકૃષ્ણને, એ ખરૂં કહું ખોટું નથી ।।૩૯।।

તમ જેવા નિરમાનિનો, જેણે જેણે દ્રોહ કર્યો ।

જાુવો વિચારીઆ જગતમાં, આજ મોર્યે કોણ ઠર્યો ।।૪૦।।

માટે એનો વેષ ઉતારીને, અલક્ષ્યપણે રહો તમે ।

પછી માળા પહેરજયો, જયારે આગન્યા કરૂં અમે ।।૪૧।।

ત્યારે સંત કહે સારૂ સ્વામી, જેમ કહો તમે કરશું ।

માળા તિલક મુકી અમે, અલક્ષ્યપણે ફરશું ।।૪૨।।

પછી કાપી ચોટી કંઠીયો, મુખસામું જોઇ હરિ હસ્યા ।

ઉતારી માળા મુદ્રિકા, ગ્રહી નિરમાની દશા ।।૪૩।।

કહું ગામ કાલવાણિએ, હતા પરમહંસ પાંચશે ।

પંચ વ્રતે પુરા શૂરા, વૈરાગ્ય ત્યાગ ઉરને વિષે ।।૪૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુને શ્રીજીમહારાજે કંઠીતિલકનો ત્યાગ કરાવીને પરમહંસ કર્યા એ નામે એકાવનમું પ્રકરણમ્ ।।૫૧।।