સારંગપુર ૭ : નૈમિષારણ્ય ક્ષેત્રનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:47pm

સારંગપુર ૭ : નૈમિષારણ્ય ક્ષેત્રનું

sassssaસંવત ૧૮૭૭ના શ્રાવણ વદી ૧૧ એકાદશીને દિવસ ૧રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

અને શ્રીજીમહારાજે શ્રીમદ્ભાગવત પુરાણના પ્રથમ સ્‍કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્‍યો હતો ત્‍યારે તેમાં એમ વાર્તા આવી જે, ‘જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્‍યાં નૈમિશારણ્‍ય ક્ષેત્ર જાણવું.’ એ વાર્તાને સાંભળીને મુકતાનંદસ્‍વામીએ પૂછયો જે, “હે મહારાજ ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દશ ઈન્‍દ્રિયો છે એમ જાણવું અને તે ઈન્‍દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂંઠી થઈ જાય તેને નૈમિશારણ્‍યક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ઘ્‍યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્‍યે વૃદ્ધિ પામે એવું જે નૈમિશારણ્‍યક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું અને જ્યારે મનોમય ચક્રની ઈન્‍દ્રિયો રૂપ જે ધારા તે બૂંઠી થઈ જાય ત્‍યારે શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે કયાંઈ પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્‍યારે મુળગો તેના મનમાં અતિશય અભાવ આવે પણ તેમાં ઈન્‍દ્રિયોની વૃત્તિ જઈને ચોટે નહિ. જેમ અતિ તિખી અણિવાળું બાળ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિધિને માંહિ પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢયું પણ નિસરે નહિ અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ધા કરે તો ત્‍યાંથી ઉથડકીને પાછું પડે છે પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોંટી જાય છે તેમ ચોંટે નહિ, તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઈન્‍દ્રિયો તે બૂંઠીયો થઈ જાય ત્‍યારે ગમે તેવો શ્રેષ્‍ઠ વિષય હોય તેમાં પણ ઈન્‍દ્રિયોની વૃત્તિ ચોંટે નહિ અને થોથાની પેઠે ઈન્‍દ્રિયોની વૃત્તિયો પાછી હઠે, એવું વર્તાય ત્‍યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ, ૧એવું સંતના સમાગમરૂપી નૈમિશારણ્‍ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્‍યાં કલ્‍યાણને ઈચ્‍છવું અને ત્‍યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. ઈતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૭|| ||૮૫||