ગઢડા પ્રથમ – ૨૦. અજ્ઞાની, પોતાના સ્‍વરૂપને જોવાનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 11:26am

ગઢડા પ્રથમ – ૨૦. અજ્ઞાની, પોતાના સ્‍વરૂપને જોવાનું

સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓશરીએ ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને ધોળી પાધ માથે બાંધી હતી ને તે પાધને વિષે પીળા ફુલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો. અને બે કાનને વિષે ધોળા અને પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢયોે હતો ને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ બોલ્‍યા જે, ‘સાંભળો સર્વેને એક પ્રશ્ર્ન પુછીએ છીએ.” ત્‍યારે સર્વે હરિભકતે હાથ જોડીને કહ્યું જે ” પુછો” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે “અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની તે કોણ છે ?” પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શકયા નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે; “લ્‍યો અમેજ ઉત્તર કરીએ.” ત્‍યારે સર્વેએ રાજી થઇને કહ્યું જે, “હે મહારાજ ! તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુવે છે, કુરૂપને જાુવે છે તથા બાળ, યૌવન અને વૃઘ્‍ધપણાને જાુવે છે, એવાં અનંત પદાર્થને જુવે છે પણ જોનારો પોતે પોતાને જોતોનથી અને કેવળ બાહ્ય દષ્‍ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો, એજ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્‍વાદને લે છે તેમજ શ્રોત્ર, ત્‍વક્, રસના, ઘ્રાણ ઇત્‍યાદિક સર્વે ઇંદ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છેને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી, એજ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે અને એજ ધેલામાં અતિશે ધેલો છે અને એજ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે અને એજ સર્વે નીચમાં અતિશે નીચ છે.”

ત્‍યારે શુકમુનિએ આશંકા કરી જે,”પોતાનું સ્‍વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે ? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શીદ અતિશય અજ્ઞાની રહે ?” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને સત્‍સંગ થયોછે તેને તો પોતાના જીવાત્‍માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દહાડે એણે પોતાના સ્‍વરૂપને જોયાનો આદર કર્યો અને ન દીઠું ? અને એ જીવ માયાને આધીન થકો- પરવશ થઇને તો સ્‍વપ્ન અને સુષુપ્‍તિ અવસ્‍થામાં અંતર્દષ્‍ટિ કરીને જાય છે પણ પોતે પોતાને જાણે કોઇ દિવસ પોતાના સ્‍વરૂપને જોવાને અંતર્દષ્‍ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દષ્‍ટિ કરે છે તેતો પોતાના સ્‍વરૂપને અતિશે ઉજ્જ્વળ  પ્રકાશમાન જાુવે છે અને તે પ્રકાશને મઘ્‍યે પ્રત્‍યક્ષ એવા જે પુરૂષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુવે છે અને નારદ-સનકાદિક જેવો સુખિયો પણ થાય છે; માટે હરિભકતને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૦||