સારસિદ્ધિ કડવું - ૦૨

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 2:27pm

રાગ :- ધન્યાશ્રી

પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જુજવા જુજવા આ જગમાંયજી ।

જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે નહિ કાંયજી ।।૧।।

રાગ :- ઢાળ

કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન ।

મતિ ન પોતી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ।।ર।।

કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ ।

કોઈ કહે તર્ત તીર્થથી, રાજી થાશે દીનદયાળ ।।૩।।

કોઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે પરબ્રહ્મ ।

કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ।।૪।।

કોઈ કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ ।

કોઈ કહે પા’ડ ચઢી પડતાં, રાજી થાય શ્રીહરિ શ્યામ ।।પ।।

કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે દાવાનળે દેહ ।

તો જરુર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ ।।૬।।

કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ ।

કોઈ કહે વેષ કેશ વધારે, કોઈ કહે ફરે ઉદાસ ।।

કોઈ કહે દિગંબર અન્ન અલુણે, કોઈ કહે ફળ દળ જળપાન ।

કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય ભગવાન ।।૮।।

કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ, રહીયે અણવાણ અહોનિશ ।

કોઈ કહે પંચઅગ્નિ તાપી, રાજી કરીયે જગદીશ ।।૯।।

એહ વિના અનેક ઉપાયે, રાજી કરવા ઈચ્છે છે રામ ।

નિષ્કુલાનંદ એ ભકત ભલા, પણ નકી નથી નિષ્કામ ।।૧૦।। કડવું ।।ર।।