વચનવિધિ કડવું - ૪૪ સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો સંગ વળી; પદ-૧૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:44pm

લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી
તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી

કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ  જેટલું ।।
રોગરાજના રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।। ર ।।

જેમ ભાદરવે ભેંસ પૂછલી,૯ જેમ પડ્યો ગજ અજાડિયે ।।
જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે ।। ૩ ।।

તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ ।।
તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ ।। ૪ ।।

જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ ।।
તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ ।। પ ।।

જેમ મમોઈગર કર માનવી, ખેરી પડી વળી કર ખાટકી ।।
પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી ।। ૬ ।।

તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી ।।
તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ ।। ૭ ।।

જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે ।।
નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે ।। ૮ ।।

પદ-૧૧

રાગ-કેદારો
‘પ્રાણ મ રહેજો પ્રિતમ વિના’ એ ઢાળ.

સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો સંગ વળી;
સુખ સ્વપને નહિ આવે શરીરને રે, આવશે દુઃખ અતોલ મળી.  સરે૦ ।। ૧ ।।
જાણી ઝગમગ ઘણી હીરાકણી, ખાય ખાંત્યે ખૂબ પેટ ભરી;
એમ કુસંગનો સંગ અંગમાં ઊતર્યો રે, કેમ રહે સતસંગ તેણે કરી.  સરે૦ ।। ર ।।
જેમ ખાય ઠગની ઠગમૂળી ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે;
તેમ વચન વિમુખનાં ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે.  સરે૦ ।। ૩ ।।
એણે આ લોક પરલોક બેઉ બગાડિયા, ખવરાઈ ગઈ ખળે આવી ખેતી;
નિષ્કુળાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી૯ નવ શકયો ચેતી.  સરે૦ ।। ૪ ।।