૫૩. પરમહંસ, સન્યાસી, બ્રહ્મચારી અને દાસના નામની યાદી.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:37pm

રાગ સામેરી-

બીજાં બાકી જે હવાં, તે પણ કહું છું નામ ।

જે જન મન દઇ સાંભળે, તેહ પામે પરમ ધામ ।।૧।।

અનાદિસિદ્ધાનંદ ઉત્તમાનંદ, અગ્રાહ્યાનંદ અછેદ્યાનંદ જે ।

અલિંગાનંદ અનઘાનંદ, અતીંદ્રિયાનંદ અનિર્દેશાનંદ તે ।।૨।।

ઉદારાનંદ અનિલાનંદ, અસંખ્યેયાનંદ અતુલાનંદજી ।

અવ્યક્તરૂપાનંદ અનંતજીદાનંદ, અકામાનંદ અનુકુલાનંદજી ।।૩।।

આદિદેવાનંદ અયોનિજાનંદ, અક્ષોભ્યાનંદ ઉદ્ભવાનંદ છે ।

આદિત્યવર્ણાનંદ ઉદારાત્માનંદ, ઇજયાનંદ ઇશાનંદ છે ।।૪।।

અજીતાનંદ ઉપેન્દ્રાનંદ, ઇશ્વરેશ્વરાનંદ શ્રુત્યાનંદ એ ।

દુરાધર્માનંદ દુર્લભાનંદ, દુર્મર્ષણાનંદ સુદેવાનંદ તે ।।૫।।

દક્ષાનંદ દર્પહાનંદ, દુર્જયાનંદ દિવ્યમૂર્ત્યાનંદ છે ।

ભૂતાવાસાનંદ બ્રહ્મણ્યાનંદ, ભક્તવત્સલાનંદ આનંદ છે ।।૬।।

હરિભૂષણાનંદ ભાવનાનંદ, ભૂગર્ભાનંદ ભૂમાનંદભણું ।

ભ્રાજીષ્ણવાનંદ અનિમેષાનંદ, ગુરૂગમ્યાનંદ ગણું ।।૭।।

મહાનંદ મહેશ્વરાનંદ, મહોત્સવાનંદ વંદુ ।

મહેશ્વાસાનંદ મહાશક્ત્યાનંદ, મહાભાગાનંદ કહી આનંદુ ।।૮।।

મહેન્દ્રાનંદ મહામખાનંદ, જ્ઞાનગમ્યાનંદ ગાઇએ ।

મહાકર્માનંદ મહાભૂતાનંદ શુદ્ધાનંદ કહી સુખિયા થઇએ ।।૯।।

ધન્યાનંદ ધરણીધરાનંદ, વળી ધૃતાત્માનંદ જેહ ।

ધર્મયૂપાનંદ ધનંજયાનંદ, ત્રિલોકેશાનંદ તેહ ।।૧૦।।

સત્કર્ત્રાનંદ સંવત્સરાનંદ, શમાત્માનંદ સોય ।

સહસ્રશીર્ષાનંદ સામગાનંદ, સર્વવિદાનંદ જોય ।।૧૧।।

સહિષ્ણ્વાનંદ સત્વસ્થાનંદ, સહસ્રાનંદ જેહ ।

સિદ્ધાર્તાનંદ સિદ્ધસંક્લ્પાનંદ, સત્યપ્રક્રમાનંદ તેહ ।।૧૨।।

સિદ્ધિદાનંદ શ્રુતિસાગરાનંદ, સત્યકૃતાનંદ સંન્યાસાનંદજી ।

શ્રીગર્ભાનંદ શત્રુહાનંદ, સુદર્શનાનંદ હરિકૃષ્ણાનંદજી ।।૧૩।।

સુમુખાનંદ સુક્ષમાનંદ, સુભગાનંદ નામ સાંભળે ।

શાંતિદાનંદ સત્કીર્ત્યાનંદ, સુલભાનંદે પાપ બળે ।।૧૪।।

સત્યસંધાનંદ સત્યધર્માનંદ, સદ્ગત્યાનંદ સુણો સહુ ।

સુનેત્રાનંદસદ્ભુતાનંદ, શરણાનંદ સત્યાનંદ કહું ।।૧૫।।

સાક્ષ્યાનંદ સુકૃત્યાનંદ, સુધર્માનંદ જયેષ્ઠાનંદ જે ।

ચતુરાત્માનંદ ચતુર્વેદાનંદ, વળી ચતુર્વ્યૂહાનંદ તે ।।૧૬।।

શાશ્વતાનંદ છિન્નસંશયાનંદ, હ્યષીકેશાનંદ કહીએ ।

જીતક્રોધાનંદ યોગેશાનંદ, ત્રિલોકાનંદ બુદ્ધાનંદ લહીએ ।।૧૭।।

લોકનાથાનંદ રાસેશ્વરાનંદ, યજ્ઞાનંદ જયાનંદ જાણીએ ।

નિર્મત્સરાનંદ નિવ્રતાનંદ, પરમહંસ પરમાણીએ ।।૧૮।।

જેહ જેહનાં મેં નામ જાણ્યાં, તેહ તેહ કહ્યાં સહી ।

પણ સર્વ નામની સાધ્ય સંતો, માનજયો મને નહિ।।૧૯।।

એહ આદિ અનંતમુનિનાં, આવિયાં વળી વૃંદ ।

સંક્ષેપે કહી સુણાવિયાં, એમ કહે નિષ્કુળાનંદ ।।૨૦।।

સુંદર નામ સંન્યાસિનાં, જેને ત્રણે એષણાનો ત્યાગ ।

વિવેકી વિચારવંતા, ઉરમાં અતિવૈરાગ્ય ।।૨૧।।

દેવાનંદ દોય પૂર્ણાનંદ, શ્રીધરાનંદ સન્યાસિજી ।

શંકરાનંદ ને માધવાનંદ, કેશવાનંદ હરિઉપાસિજી ।।૨૨।।

શિવાનંદ વાસુદેવાનંદ, નિત્યાનંદ કૃષ્ણાનંદ કહિએ ।

પદ્મનાભાનંદ પુરૂષોત્તમાનંદ, જનાર્દનાનંદ લહીએ ।।૨૩।।

જ્ઞાનાનંદ અનંતાનંદ, વૈષ્ણવાનંદ વળી ।

એહ આદિ અનેક સંન્યાસિ, શોભે છે સર્વે મળી ।।૨૪।।

બીજાં નામ બટુકતણાં, અતિઉત્તમ જાણો એહ ।

ત્યાગી ધન ત્રિયાતણા, જેને સહજાનંદશું સ્નેહ ।।૨૫।।

મુકુંદાનંદ મુખ્ય મોટા, બ્રહ્મચારી જયરામજી ।

વાસુદેવ વૈકુંઠ વિષ્ણુ, હરિકૃષ્ણ હરિરામજી ।।૨૬।।

રાઘવ રણછોડ ઋષીકેશવ, રામકૃષ્ણ પૂરણારામજી ।

નારાયણ ગોવિંદ ગોપાળ, ગિરિધર આનંદ અકામજી ।।૨૭।।

જજ્ઞનાથ લખો લૈને, એહ આદિ અપાર રે ।

સર્વ અંગે શુદ્ધ સાચા, ભગવાનના બ્રહ્મચાર રે ।।૨૮।।

બીજા દાસ બહુ કર્યા, તેહનાં તે કહું નામ ।

એકએકથી અધિક અંગે, નિરલોભી નિષ્કામ ।।૨૯।।

રાઘવદાસ માધવદાસ, ગંગાદાસ ગોવરધન ।

હરિદાસ ગંભીરદાસ, ગણો જ્ઞાનદાસ પાવન ।।૩૦।।

વિષ્ણુદાસ ને પ્રભુદાસ, સેવાદાસ શીતળદાસ જે ।

પ્રેમદાસ પુરૂષોત્તમદાસ, રામદાસ ને સંતદાસ તે ।।૩૧।।

નારાયણદાસ નિર્લેપદાસ, વળી કલ્યાણદાસ કહીએ ।

કપિલદાસ ને કૃષ્ણદાસ, લક્ષ્મણદાસ લહીએ ।।૩૨।।

દયાળ દાસ દ્વારિકાદાસ, ભગવાનદાસ ભજે હરિ ।

હરિદાસ હનુમાનદાસ, જયરામદાસ જાનકીદાસરિ ।।૩૩।।

એહાદિ જન માની વચન, સમઝીને સુખિયા થયા ।

બીજાજન બહુ હરિના, વિશ્વાસે વળગી રહ્યા ।।૩૪।।

એમ જાુક્તે જુજવો, કર્યો નામનો નિરધાર ।

ભાવે જે જન સાંભળે, તે ઉતરે ભવપાર ।।૩૫।।

આપી નામ કરી આગન્યા, તમે ફરો દેશ વિદેશ ।

કરો કલ્યાણ જીવનાં, આપી રુડો ઉપદેશ ।।૩૬।।

પછી પ્રભુને પાય લાગી, વળી બોલિયા એમ વાત ।

ભલી ઉપાધિ આળશી, આજ અમે થયા રળિયાત ।।૩૭।।

ત્યાગ શોભા સંતની, એમ કહે વેદ પુરાણ ।

ત્યાગી થઇ તન સુખ ઇચ્છે, એજ મોટો અજાણ ।।૩૮।।

તમ વિના ત્રિલોકમાંહિ, હિત કોણ કરે હરિ ।

આજ અમે સુખિયા થયા,તમે દયાળુ દયા કરી ।।૩૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે સાધુ સન્યાસિ બ્રહ્મચારી તથા દાસનાં નામ કહ્યાં એ નામે ત્રેપનમું પ્રકરણમ્ ।।૫૩।।