ગઢડા મઘ્ય ૫૫ : સોનીની પેઢીનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 12:56am

ગઢડા મઘ્ય ૫૫ : સોનીની પેઢીનું

સંવત્ ૧૮૮૦ના જ્યેષ્‍ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્‍તક ઉપર નવાનગરનું સોનેરી કોરે યુક્ત શ્વેત મોળિયું બાંઘ્‍યું હતું, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુની તથા દેશદેશના હરિ ભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને તે સભાને વિષે મુનિ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા.

પછી તે મુનિ કીર્તન ભકિત કરી રહ્યા ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેનું આજ જેવું અંગ હોય તેવું સત્‍સંગ થયા મોરે પણ કાંઇક હોય ખરૂં; તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો ? તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએે છીએે તે સાંભળો જે, જ્યારે અમારે બાળ અવસ્‍થા હતી ત્‍યારે પણ દેવમંદિર હોય ત્‍યાં દર્શને જવું, કથાવાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું, એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મુકીને નિસર્યા ત્‍યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહિ, અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશમાત્ર લાગતી જ નહિ, અને વનને વિષે મોટા મોટા સર્પ, સિંહ, હાથી, ઇત્‍યાદિક અનંત જનાવર દીઠામાં આવ્‍યાં, પણ કોઇ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહિ, એવી રીતે મહાવનને વિષે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિષે ફરતા ફરતા શ્રીરામાનંદસ્વામી પાસે આવ્‍યા. અને શ્રીરામાનંદસ્વામી જ્યારે અંતધર્ાન થયા તે કેડે સત્‍સંગનું રૂડું થવાને અર્થે કાંઇક બીક રાખવા માંડી, પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્‍યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે, અને તે મરનારને પણ સંસાર થકી મન ઉદાસ થઇ જાય છે. તેમનું તેમ અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્‍થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્‍છ સરખું જણાયા કરે છે, પણ એમ વિકિત નથી જણાતી જે, ‘આ સારૂં પદાર્થ છે, ને આ ભૂંડું પદાર્થ છે’ જેટલાં માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એકસરખાં જણાય છે. જેમ કાખના મુવાળા છે, તેમાં સારો કયો ને નરસો કયો ? તે તો સારો નરસો સહુ એક પાડમાં છે, તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખાં છે અને કાંઇક સારૂં નરસું જે કહીએ છીએ, તે તો ભગવાનના ભક્તને સારૂં લગાડવાને અર્થે કહીએ છીએ જે, આ સારૂં ભોજન છે, આ સારૂં વસ્ત્ર છે, આ સારૂં ધરેણું છે, આ સારૂં ઘર છે, આ સારૂં ધોડું છે, આ સારાં પુષ્પ છે, તે ભક્તને સારૂં લાગે તે સારૂં કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્‍વરૂપનું જ ચિંતવન કરે; અને વાણી તે ભગવાનના યશને જ ગાય; અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે; અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે, એમ ભગવાનની ભકિત જાણીને જે જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભકિત વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઇક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા સાઠસિંતેર વર્ષનો થાય, ને પછી તેનો દીકરો મરી જાય, ત્‍યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઇ જાય, તેમ અમારે પણ ખાતાં, પીતાં, ધોડે ચડતાં, રાજી, કુરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે. જે, ‘આપણ તો દેહ થકી પૃથક્ આત્‍મા છીએ પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્‍માને વિષે રખે રજોગુણ, તમોગુણ, આદિક કોઇક માયાનો ભાગ ભળી જાય નહિ, તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ, જેમ સાડાસોળવલું કંચન હોય ને તેને સોનીની પેઢીએ લઇ જાય, અને જો ધણીની લગારેક નજર ચુકે, તો સોની સોનું કાઢી લઇને તેમાં રૂપું ભેળવી દે. તેમ આ હૃદયરૂપી તો સોનીની પેઢી છે, અને તેમાં માયારૂપી સોની છે. તે પોતે બેઠો થકો સંકલ્‍પરૂપી જે હથોડો તેના અખંડ ટચ ટચ ટચકા મારતો રહે છે. અને જેમ સોનીનાં છોકરાં સ્‍ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઇક સોનું ચોરી જાય. તેમ ઇન્‍દ્રિયો, અંત:કરણ એ સર્વે માયારૂપ જે સોની તેનાં છોકરાં સ્‍ત્રી છે, તે કંચનરૂપ જે ચૈતન્‍ય તેને વિષે ત્રણ ગુણ તથા પંચવિષયમાં આસકિત તથા દેહાભિમાન તથા કામ, ક્રોધ, લોભાદિક એ રૂપ જે રૂપું, તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્‍યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે, અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો સોનું બારવલું થઇ જાય છે, અને પછી તે સોનાને તાવી તાવીને પાછું સોળવલું કરે તો થાય છે. તેમ આ જીવને વિષે રજ, તમ, આદિક જે રૂપું ભળ્‍યું છે, તેને ગાળીને કાઢી નાખવું ને પછી કંચનરૂપ જે એક આત્‍મા તે જ રહે, પણ બીજો માયિક ભેગ કાંઇ રહે નહિ. એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડયા છીએ, એ અમે અમારૂં અંગ છે તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો.” પછી સંતમંડળે એમ કહ્યું જે, “હે મહારાજ ! તમારે વિષે તો માયિક ગુણનો ભેગ હોય જ નહિ, તમે તો કૈવલ્‍યમૂર્તિ છો. પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે. અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્‍યો જોઇએ.” પછી શ્રીજીમહારાજ ‘જય સચ્‍ચિદાનંદ’ કહીને પોતાના ઉતારાને વિષે પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૫|| ૧૮૮ ||