ગઢડા મઘ્ય ૪૩ : બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:30am

ગઢડા મઘ્ય ૪૩ : બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું

સંવત્ ૧૮૮૦ના પોષ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી અયોઘ્‍યાવાસીને ઘેર ગાદીતકીયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પ્રેમાનંદસ્વામી સરોદો લઇને કીર્તન ગાવતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પુછયું જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ  સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્‍યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય, અને તે તો કેવળ ઉત્‍થાને રહિત શૂન્‍યસમતા ધરી રહે, ને સુષુપ્‍તિ જેવી અવસ્‍થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ર્ન છે.” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો ૨હોય.” ત્‍યારે શ્રીજીમહારાજે પુછયું જે, “સત્તારૂપ રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્‍માને સજાતિ છે કે ૪વિજાતિ છે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્‍માને ૫સજાતિ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મઘ્‍વાચાર્ય, નિંબાર્ક ને વલ્‍લભાચાર્ય, એમણે આત્‍મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને ૬બ્રહ્મસ્‍વરૂપ કહી છે. માટે ગુણાતીત થઇને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે એજ બ્રહ્મ સ્‍વરૂપ છે. એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૩|| ૧૭૬ ||