ગઢડા પ્રથમ – ૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:04am

ગઢડા પ્રથમ – ૩૯ : સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું

સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૩ ત્રીજને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પીળા પુષ્પના તોરા પાઘમાં લટકતા હતા ને કાન ઉપર ધોળા ને પીળા પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા ને કંઠમાં પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્‍યો હતો તેને પ્રશ્ર્ન પુછયો જે, “તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના જે જીવ, ઇશ્વર, માયા અને જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ, તે સર્વેને મિથ્‍યા કહો છો એ વાત અમને સમજાતી નથી, તથા માન્‍યામાં આવતી નથી. માટે તમને પુછીએ છીએ તેનો ઉત્તર કરો, તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્‍મૃતિ અને ઇતિહાસ તેની સાખ્‍યે કરીને કરો, પણ કોઇક કલ્‍પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ, અને જો વ્‍યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે, કેમ જે અમારે વ્‍યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે.” પછી તે વેદાંતીએ ઘણીક પ્રકારની યુકિતઓ લાવીને ઉત્તર કરવા માંડયો પણ શ્રીજીમહારાજે તેમાં આશંકા કરી માટે તે પ્રશ્ર્નનું સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સાંભળો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, એતો પરમેશ્વરને ભજીને થયા જે મુક્ત તેની સ્‍થ્‍િાતિના ભેદ છે. જેમ મેરૂ પર્વત ઉપર ઉભા જે પુરૂષ તે જે તે મેરૂ થકી ઓરા જે સર્વે પર્વત તથા સર્વે વૃક્ષ તથા તે પર્વત વૃક્ષનું આધાર જે પૃથ્‍વીનું તળ તે સર્વેને પૃથક્ પૃથક્ પણે દેખે છે. તેમ સવિકલ્‍પ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત તે જે તે જીવ, ઇશ્વર, માયા તથા એમનું આધાર જે બ્રહ્મ એ સર્વેને પૃથક્ પૃથક્પણે દેખે છે. અને વળી જેમ લોકાલોક પર્વત ઉપર ઉભા જે પુરૂષ તે જેતે તે લોકાલોક પર્વતથી ઓરા જે પર્વત તથા વૃક્ષ તે સર્વેને એક પૃથ્‍વીરૂપે જ દેખે છે, પણ પૃથક્ પૃથક્પણે નથી દેખતા, તેમ નિર્વિકલ્‍પ સમાધિવાળા જે મહામુક્ત તે જે તે જીવ, ઇશ્વર અને માયા તેને એક બ્રહ્મરૂપે કરીને જ દેખે છે, પણ પૃથક્પણે નથી દેખતા. એવી રીતે બે પ્રકારની સ્‍થ્‍િાતિવાળા મુક્ત છે તેની સ્‍થ્‍િાતિને યોગે કરીને એ સર્વેનું સત્‍યપણું કહેવાય છે ને અસત્‍યપણું કહેવાય છે. અને સવિકલ્‍પ સ્‍થ્‍િાતિવાળાનાં વચન વેદ, શાસ્ત્ર, પુરાણાદિકમાં આવે છે તે એ સર્વે ને સત્‍ય કહે છે અને નિર્વિકલ્‍પ સ્‍થ્‍િાતિવાળાનાં વચન તે એ સર્વેને અસત્‍ય કહે છે. પણ કાંઇ એ સર્વે અસત્‍ય નથી, એ તો એને નિર્વિકલ્‍પ સ્‍થ્‍િાતિને બળે કરીને દેખાતાં નથી માટે અસત્‍ય કહે છે. અને વળી જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત્રિ નથી પણ જે પૃથ્‍વી ઉપર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે, તેમ નિર્વિકલ્‍પ સ્‍થ્‍િાતિવાળાને મતે એ સર્વે છે નહિ, પણ બીજાને મતે તો એ સર્વે છે. અને આવી રીતે બ્રહ્મનિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાધ ન આવે ને એમ ન કરે તો પૂર્વાપર બાધ આવે. તે બાધને તો સમજતો ન હોય, તથા એવી રીતની સ્‍થ્‍િાતિને પણ ન પામ્‍યો હોય, ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચનમાત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય, ને ગુરૂ, શિષ્ય, જીવ, ઇશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્‍પિત કહેતો હોય, તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે, એમ કહીને બોલ્‍યા જે, “આ અમે વાર્તા કરી તેમાં તમને આશંકા થતી હોય તો બોલો?” ત્‍યારે તે વેદાંતી બ્રાહ્મણ બોલ્‍યો જે, “હે મહારાજ ! હે પ્રભો! હે સ્‍વામિન્ ! તમે તો પરમેશ્વર છો અને જગતના કલ્‍યાણને અર્થે પ્રગટ થયા છો ને તમે જે ઉત્તર કર્યો તે યથાર્થ છે, એમાં આશંકાનો માગનથી.” એમ કહીને અતિ પ્રસન્ન થયો અને પોતાની જે અણસમજણ તેનો ત્‍યાગ કરીને શ્રીજીમહારાજનો આશ્રિત થયો. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૩૯||