સારસિદ્ધિ કડવું - ૪૪ સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર; । પદ - ૧૧

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:44pm

સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કે’વાજી

સૌપરી શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા એને બીજી દેવાજી ।।૧।।

 ઢાળ - 

ઉપમા નથી એવી આપવા, જોઈ જોઈ જોયું જરૂર ।।

ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર ।। ર ।।

અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઈ ।।

તેના મળેલ તપાસિયા, સુખ પામ્યા ન પામ્યા કાંઈ ।। ૩ ।।

આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલ ।।

હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની રેલ ।। ૪ ।।

જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીન દયાળ ।।

સમે સમે સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ ।। પ ।।

અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહિ અણુભાર ।।

અનંત અવતાર આવિયા અવનિએ, પણ આંક વાળિયો આ વાર ।। ૬ ।।

અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારિયા જન ।।

કોયે વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન ।। ૭ ।।

અનંત સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર ।।

અનંત ધામના ધણી હરિ, વળી અનંત શકત આધાર ।। ૮ ।।

સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નહિ કોઈ એક ।।

પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક ।। ૯ ।।

એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ ।।

નિષ્કુળાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ ।। ૧૦ ।। કડવું ।।૪૪।।

 

રાગ:-ધોળ

(‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ.)

સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર;

નિવાસી કયાર્ં બ્રહ્મમો’લના, અગણિત નર નાર. . .સુખી ।।  ।।

જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય;

તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય. .સુખી ।। ર ।।

ધામી વિના રે એહ ધામનું કોણ સુખ દેનાર;

માટે આપે આવી આપિયું અખંડસુખ અપાર. . સુખી ।। ૩ ।।

એહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર;

નિષ્કુળાનંદ નિર્ભય થઈ; રહ્યા હરિને હજૂર. . સુખી ।। ૪ ।।