સારસિદ્ધિ કડવું - ૪૨

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:40pm

આ સમે સરિયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરિયાં વિચારિયું આજજી

આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી ।।૧।।

ઢાળ - 

અલૌકિક સુખ આ લોકમાંયે, અલબેલેજિયે આપિયું ।।

ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક દુઃખ કાપિયું ।। ર ।।

અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર ।।

અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજૂર ।। ૩ ।।

પર પોતાના ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન ।।

મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે નીરખે નિદાન ।। ૪ ।।

સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ ।।

પછી દેહ તે જડવત રહે, જેવું સૂકું કાષ્ઠ પાષાણ ।। પ ।।

પછી બાળો કાપો કોઈ દેહને, તેને દુઃખ નહિ તલભાર ।।

એવો અગણિત આ સમે, હરિયે દેખાડ્યો ચમત્કાર ।। ૬ ।।

ષટ ઊર્મિ ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઈ કામ ।।

એવી આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ ।। ૭ ।।

ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ ।।

આડ્ય રહિત અટકે નહિ, નવ રહ્યું આવરણ લેશ ।। ૮ ।।

એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે જગમાંઈ ।।

અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઈ ।। ૯ ।।

અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે ।।

ષ્કુળાનંદ સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે ।। ૧૦ ।।