તરંગઃ - ૯૬ - જેતલપુરનો પરચો કહ્યો

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:05pm

પૂર્વછાયો

સુંદર આ સારી વારતા, જન જાણો મંગલરૂપ । કેવળ આ કળિયુગમાં, કલ્યાણકારી અનૂપ ।।૧।। 

તાપ ટળે ત્રિવિધના, વળી પ્રાણીનાં પાપ મુકાય । અંતકાળે આવીને, કરે શ્યામ તેની સહાય ।।૨।।

 

ચોપાઇ

 

વળી એક કહું બીજી વાત, પરચાની છે તેહ સાક્ષાત । હરિ હતા જેતલપુર ગામ, કરે યજ્ઞ તિયાં પૂર્ણકામ ।।૩।। 

ઘૃત મંગાવવા કરી પેર, ગાડાં મોકલ્યાં શ્રીપુર શેર । દાણીએ રોક્યાં લેવાને દાણ, ઘણીવાર લાગી પરમાણ ।।૪।। 

ઘૃતકારણ વિપ્ર સઘળા, થયા જોતાં જોતાં ઉતાવળા । જાણી વાત તે આનંદસ્વામી, આવ્યા શ્રીજી પાસે સુખધામી ।।૫।। 

કહે ઘૃત નથી તલભાર, ગાડાં લેવા ગયાં છે અપાર । હજાુ લગી તે આવીયાં નહી, સર્વેવાટ જાુવે છે સહી ।।૬।। 

કરે વિપ્ર ઉતાવળ આજ, હવે શું કરશો મહારાજ । સુણી આનંદ સ્વામીની વાણી, ઝટ ઉઠ્યા છે સારંગપાણી ।।૭।। 

પડ્યાં કોટમાં કુંડલાં ખાલી, વેગે ચાલ્યા તિયાં વનમાળી । એક જેષ્ટિકા ઝાલીને હાથ, મારે કુંડલાંને મુક્તનાથ ।।૮।। 

સ્વામી ઢાંકણું ધીરેથી ખોલે, આમાં જાુવો હરિ એમ બોલે । જોતાં જોતાં ચાલ્યા જદુરાય, પોણો મણ ઘૃત જડ્યું ત્યાંય ।।૯।। 

બીજા કુંડલામાં ઘૃત જાણો, અડધો મણ પ્રીતે પ્રમાણો । બન્ને કુંડલાનું ઘૃત મળી , તોલતાં સવામણ થયું વળી ।।૧૦।। 

અવિનાશી બોલ્યા ત્યાં અગાડી, કાઢી આપજ્યો આમાંથી દાડી । જોયે તેમ આપો ઘૃતસાર, મારી જેષ્ટિકા ચાલ્યા મુરાર ।।૧૧।। 

દેતાં ઘૃત તેમાંથી સદાય, આપે અખુટ ત્યાં ઉભરાય । તે દિને બારસેં મણ લીધું, બીજે દિવસે એમજ કીધું ।।૧૨।। 

એવું ચરિત્ર કર્યું કૃપાળ, સહુ રાજી થયા તેહકાળ । એમ આપી અતિશે આનંદ, ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ ।।૧૩।। 

વળી એક સમે તે ડભાણ, કર્યો યજ્ઞ પ્રભુએ પ્રમાણ । દેશદેશતણા હરિજન, આવ્યા હતા કરવા દર્શન ।।૧૪।। 

શ્રીહરિને મુકે ભેટ સાર, થયા રૂપિયા સોળ હજાર । બાંધી થેલી કરીને તૈયાર, મુક્યા મુળજીએ તેહવાર ।।૧૫।। 

ગણી સર્વે પટારામાં ભરી, તાળું વાશ્યું તેહ નક્કી કરી । જેનું સીધું ઉપાડ્યું અપાર, તેને દેવા કર્યો નિરધાર ।।૧૬।। 

એમ મુળજી શેઠે વિચારી, રાખ્યા રૂપિયા સોળ હજારી । પછે એક દિન જગરાય, કરી વિપ્રની મોટી સભાય ।।૧૭।। 

દીધા દક્ષિણામાં તેહ દામ, બાકી રાખી નહિ બે બદામ । વેગે જાણી મુળજીએ વાત, કહે આ શું કર્યું જગતાત ।।૧૮।। 

લીધું ઘી ખાંડ ૧પિષ્ટ અપાર, તેને શું દેશું દેવમુરાર । ત્યારે બોલીયા સુંદરશ્યામ, અમે લીધા નથી એહ દામ ।।૧૯।। 

એમ કહી પટારો ઉઘાડી, દીધા રૂપિયા સર્વ દેખાડી । મુક્યા મુળજીએ જેહ ઠામ, દીઠા તેમના તેમ તમામ ।।૨૦।। 

પામ્યા આશ્ચર્ય સર્વે અથાગ, ધન્ય ધન્ય કહે મહાભાગ । આ તો અલૌકિક થઇ વાત, તેવું જોઇ થયા રળિયાત ।।૨૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે જેતલપુરનો પરચો કહ્યો એ નામે છનુમો તરંગઃ ।।૯૬।।