અધ્યાય - ૭૧ - ભગવાન શ્રીહરિએ આત્માના અધ્યાત્મ આદિક ભેદોનું કરેલું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:33pm

અધ્યાય - ૭૧ - ભગવાન શ્રીહરિએ આત્માના અધ્યાત્મ આદિક ભેદોનું કરેલું નિરૂપણ.

ભગવાન શ્રીહરિએ આત્માના અધ્યાત્મ આદિક ભેદોનું કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિવર્ય ! સાંખ્યજ્ઞાનના દાતા વિદ્વાનો શ્રોત્ર ઇન્દ્રિયને અધ્યાત્મ કહે છે, તે શ્રોત્ર ઇન્દ્રિયમાં રહેલા દિગ્પાળ દેવતા છે. તેને અધિદૈવત નામે કહે છે, અને તે શ્રોત્ર ઇન્દ્રિયદ્વારા સાંભળવા યોગ્ય શબ્દને અધિભૂત કહે છે. જીવાત્મા અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા જ અધિભૂતનો અનુભવ કરે છે. અહીં આધાર એવા ગોલોકનો અને આધેય એવી ઇન્દ્રિયનો અભેદપણે નિર્દેશ કર્યો છે. તે સર્વત્ર સમજવો.૧

ત્વક્ ઇન્દ્રિયને અધ્યાત્મ કહે છે, તે ઇન્દ્રિયમાં રહેલા વાયુદેવને અધિદૈવ કહે છે અને સ્પર્શને અધિભૂત કહે છે, જીવાત્મા તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૨

નેત્ર ઇન્દ્રિય અધ્યાત્મ છે. તેમાં રહેલા સૂર્યદેવ અધિદૈવ છે અને રૂપ અધિભૂત છે, જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે. ૩

જીહ્વા ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા વરુણદેવ અધિદૈવ છે અને રસ અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૪

ઘ્રાણ ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા અશ્વિનીકુમાર અધિદૈવ છે, ઘ્રાણ ઇન્દ્રિયથી સૂંઘવા યોગ્ય ગંધ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૫

તેવી જ રીતે વાક્ ઇન્દ્રિય અધ્યાત્મ છે. તેમાં રહેલા અગ્નિદેવ અધિદૈવ છે. બોલવા યોગ્ય વચન અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવદ્વારા અનુભવ કરે છે.૬

પાણી-હસ્ત ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા ઇન્દ્રદેવ અધિદૈવ છે. અને ગ્રહણ કરવું કે આપવું તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૭

પાદ ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા વિષ્ણુ અધિદૈવ છે. ગમનાગમનરૂપ પાદ વ્યવહાર તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૮

પાયુ-ગુદા ઇન્દ્રિય અધ્યાત્મ છે, તેમાં રહેલા મિત્રદેવ અધિદૈવ છે, મલત્યાગ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૯

ઉપસ્થ- શિશ્નેન્દ્રિય અધ્યાત્મ છે. તેમાં રહેલા પ્રજાપતિદેવ અધિદૈવ છે, મૈથુનસુખ તે અધિભૂત છે. જીવ તે અધિભૂતનો તે અધ્યાત્મ અને અધિદૈવ દ્વારા અનુભવ કરે છે.૧૦

તેમજ આંતર ઇન્દ્રિયોમાં મન અધ્યાત્મ કહેવાય છે, તેમાં રહેલા ચંદ્રદેવ અધિદૈવ કહેવાય છે, સંકલ્પ વિકલ્પ અધિભૂત કહેવાય છે. જીવાત્મા તે બન્નેના માધ્યમથી સંકલ્પ વિકલ્પરૂપ અધિભૂતનો અનુભવ કરે છે.૧૧

બુદ્ધિ અધ્યાત્મ છે, તેમાં રહેલા બ્રહ્માજી અધિદૈવ છે અને નિશ્ચય અધિભૂત છે. જીવાત્મા તે બન્નેના માધ્યમથી નિશ્ચયરૂપ અધિભૂતને પ્રાપ્ત કરે છે.૧૨

અહંકાર અધ્યાત્મ છે, તેમાં રહેલા રૂદ્રદેવ અધિદૈવ છે, અભિમાન ધરવું તે અધિભૂત છે. જીવાત્મા તે બન્નેથી અભિમાનરૂપ અધિભૂતનો અનુભવ કરે છે.૧૩

ચિત્ત અધ્યાત્મ છે, તેમાં રહેલા શ્રીવાસુદેવ અધિદૈવ છે, અને ચિંતવન એ અધિભૂત છે. જીવાત્મા તે બન્નેથી ચિંતવનરૂપ અધિભૂતનો અનુભવ કરે છે.૧૪

આ પ્રમાણે અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત આ ત્રણ પ્રકારના વિભાગનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું. એ ત્રણે વિભાગમાં પહેલા બે કરણ જાણવા અને ત્રીજુ કર્મ જાણવું.૧૫

આ ત્રણેને મધ્યે કોઇ પણ એકનો અભાવ હોય તો ક્ષેત્રજ્ઞા એવો જીવ તે તે ક્રિયા કરવા સમર્થ થતો નથી, છતાં પણ એ ત્રણેથી અલગ છે.૧૬

તેમજ એ જીવ ત્રણેને જાણનારો-જ્ઞાતા છે, પ્રકાશરૂપ છે. જીવરૂપે રહેલો એ ક્ષેત્રજ્ઞા પોતાની સામાન્ય સત્તાએ કરીને આખા શરીરમાં વ્યાપીને રહેલો છે, અને વિશેષ સત્તાએ કરીને હૃદયાકાશમાં રહેલો છે.૧૭

હે મુનિ ! ઇન્દ્રિયોથી પર વિષયો છે, વિષયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ અને તેથી પર જ્ઞાતા એવો ક્ષેત્રજ્ઞા જીવ છે.૧૮

તે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓએ તે તે વિષયોને પ્રકાશિત કર્યા ને મેં મારી ઇન્દ્રિયોદ્વારા અનુભવ્યાં. આ પ્રમાણે હું મારા અંતઃકરણમાં જાણું છું. એમ જે જાણે તે જ જાણનારો સ્વયં ક્ષેત્રજ્ઞા છે.૧૯

હે મુનિ ! આ પ્રમાણે અમે તમને સાંખ્યજ્ઞાનનો બોધ આપ્યો. જે જ્ઞાનથી શરીર ક્ષેત્ર અને શરીરી ક્ષેત્રજ્ઞાનો અસત્ય અને સત્યપણાનો બોધ પ્રાપ્ત થાય છે. શરીર અસત્ય છે અને શરીરી સત્ય છે. આવું જ્ઞાન તેનાં લક્ષણો જાણવાથી સમજાય છે.૨૦

હે સંતવર્ય ! જે પુરુષો અમે કહેલા આ સાંખ્યજ્ઞાનથી પોતાના આત્માના સ્વરૂપને ત્રણ શરીરથી ભિન્ન જાણતો નથી, તે પુરુષ માયાથી બંધન પામી અતિશય દુઃખરૂપ સંસૃતિમાં વારંવાર ભટક્યા કરે છે.૨૧

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત તથા ત્રણેથી પર રહેલા ક્ષેત્રજ્ઞાનું નિરૂપણ કર્યું એ નામે એકોતેરમો અધ્યાય પૂર્ણ થયો. --૭૧--