૧૧૧. પુરુષના દોષ કહી સાંખ્યયોગી સ્ત્રીઓને પાળવાનાં વર્તમાનનું નિરુપણ કર્યું છે.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:51pm

ચોપાઇ-

હવે કહું હરિજનની રીત, સહુ સાંભળજયો દઇ ચિત્ત ।

સાંખ્યયોગી બાઇયો હરિજન, જેનાં તપ પરાયણ તન ।।૧।।

સવેર્તજી સંસારની આશ, ભજે અંતરમાં અવિનાશ ।

પુરૂષોત્તમ પ્રગટ પેખી, બીજી સવેર્ઇચ્છાઓ ઉવેખી ।।૨।।

દેહ ગેહતણાં સુખ ત્યાગી, જેની લગની નાથશું લાગી ।

ખાનપાનથી ઉતારી મન, ભાવે કરે હરિનું ભજન ।।૩।।

વસન ભૂષણ ન ચાય ચિત્ત, જેને પૂરણબ્રહ્મશું પ્રીત ।

એવી મળે બાઇયોની મંડળી, કરે વાત માંહોમાંહિ મળી ।।૪।।

બાઇયો સાંભળજયો એક વાત, આજ મહારાજ છે રળિયાત ।

હસી બોલે છે હેતને વયણે, વળી જુવે છે અમૃતનયણે ।।૫।।

માટે મોટું ભાગ્ય છે આપણું, છીએ વાલ્યમને વહાલાં ઘણું ।

ભલે આવિયો આ અવતાર, જેમાં મળિયા પ્રાણઆધાર ।।૬।।

લીધો અલભ્ય લાભ તે આજ, સવેર્સર્યાં છે આપણાં કાજ ।

કોઇ વાતની ન રહી ખામી, આજ મળ્યા સહજાનંદ સ્વામી ।।૭।।

એવા તજી સુખદાયી શ્યામ, કોણ કરે મનખો હરામ ।

એવી કોણ અભાગણી હશે, જે કોઇ દેહનાં સુખ ઇચ્છશે ।।૮।।

દેહસુખમાં રહ્યો સંસાર, દેહસુખમાં વિષયવિકાર ।

દેહમાંહિ માન્યું જેને આપ, તેને મળ્યાં છે પૂરણ પાપ ।।૯।।

એવી ગર્દભી નારી છે ઘણી, શું કહીએ બાઇ વાત તે તણી ।

નિત્ય કરીને નવલો રંગ, દેખાડે છે પુરૂષને અંગ ।।૧૦।।

વસ્ત્ર આભૂષણ પહેરી અંગ, નિત્ય ફરેછે નવલે રંગ ।

ગુંથે કેશ હમેશ હરાડી, ફરે શેરી બજારમાં દાડી ।।૧૧।।

તને ચોપડી તેલ ફુલેલ, આંજી આંખ્ય ને જુવે છે છેલ ।

રૂડો પુરૂષ દેખીને રીઝે, ગળે અંતર ભિંતર ભિંજે ।।૧૨।।

જે પુરૂષ માન્યા સુખરૂપ, તેનું સાંભળો કહું સ્વરૂપ ।

જેને જાણે છે રૂડો રૂપાળો, તેના ભિંતરનો માલ ભાળો ।।૧૩।।

માંહિ ભયોર્મજજા મેદ માંસ, તેની અભાગણી કરે આશ ।

પરુ પાચ પડે પિયા ઘણા, વહે લિંટ શેડા લજામણા ।।૧૪।।

કફ થુંક ને લાળની ખાડી, મુખે ઝરે તે મેઘ અષાડી ।

પડે બળખા આવે ઓકાર, દિસે દાંત હાડકાંની હાર ।।૧૫।।

મળ મુતરે પૂરણ પેટ, તેની ભુંડણ્ય ચાય છે ભેટ ।

કુલટા મન રિઝી કરકે, જેણે કરીને જાશે નરકે ।।૧૬।।

માંહી ભરીયો આંતર કર્મે, ઉપર મઢ્યો છે આળે ચર્મે ।

ભર્યું રૂધિર તે રગરગે, એવો અશુધ્ધ નર છે અંગે ।।૧૭।।

સ્વેદ શુક્ર શલેષમ આમ, નખ કેશ એ દિસે નકામ ।

ગુંગા ગિડરે ભર્યો ભંડાર, તેનો પાપણી કરે છે પ્યાર ।।૧૮।।

નરકકુંડ જેવો નરદેહ, તેશું શંખણી કરે સ્નેહ ।

પુંજા કચરા નામ ઉકરડા, દિસે દુર્ગંધના ડુંગરડા ।।૧૯।।

દેખી નખશિખા વસ્તુ નકામ, ફુયે સમજીને પાડ્યાં છે નામ ।

નાગ વાઘ સિંહ નામ સરે, એથી અબળા કેમ ઉગરે ।।૨૦।।

ગુણે યુક્ત જાણો એહ નામ, જેને મળે તેનું ટાળે ઠામ ।

કદાપિ જો હોય નામ સારૂં, જેમ કાવે મીઠું ને છે ખારૂં ।।૨૧।।

વળી સાંભળો કહું સાહેલી, નર હોય ફોગટિયા ફેલી ।

ગાંજા ભાંગ્ય માજમ મફર, તાડી મદ્ય પીવે દાડી નર ।।૨૨।।

પીવે અમલ હોકા હમેશ, ગયે જોબને રંગાવે કેશ ।

ખાય કવસ્તુ કામના કાજ, પાપી પુરૂષને નહિ લાજ ।।૨૩।।

જેજે ભવમાંહિ છે ભુંડાઇ, તેતો સર્વે રહી નરમાંઇ ।

જેજે પૃથ્વી ઉપર પાપ, તેના કરનારા નર આપ ।।૨૪।।

ચોરી હિંસા કસાઇનાં કામ, કરે નર ન કરે એ વામ ।

યુધ્ધ વિરોધે વૈરમાં લડે, સામસામાં શિશ બહુ પડે ।।૨૫।।

ચાલે રૂધિરની તિયાં ધારૂં, મરે મનુષ્ય હજારે હજારૂં ।

એવે પાપે હોય નર પુરા, તેતો કહાવે જગતમાં શૂરા ।।૨૬।।

કઇ જીવ કરે કચ્ચરઘાણ, એવા પાપીનાં થાય વખાણ ।

એવા પાપી પુરૂષના દેહ, તેશું સ્વપ્ને કરે કોણ સ્નેહ ।।૨૭।।

એને ઇચ્છે અભાગણી નાર, જેને જાવું છે જમને દ્વાર ।

નારી નરકમાં જાય છે આપે, તે પુરૂષમાં પ્રીત્ય પ્રતાપે ।।૨૮।।

વળી કહું પુરૂષનાં પાપ, તમે સાંભળજયો સહુ આપ ।

નર વિકળ હોય વિશેક, જેના અંતરમાં નહિ ટેક ।।૨૯।।

કરે પરાણે નારી સ્પરશ, થાય વિકળ કામ વિવશ ।

જોને બ્રહ્મા સરવેના બાપ, તેણે કર્યો સુતાને સંતાપ ।।૩૦।।

જોને ઇંદ્ર અભાગીનાં કામ, કયુર્ં અહલ્યાનું જીવત હરામ ।

જોને વિધુનો ગયો વિચાર, હરી પરાણે ગુરુની નાર ।।૩૧।।

જોને સુરગુરૂ બૃહસ્પતિ, કર્યું અબળાનું અવળું અતિ ।

જોને નહુષ મૂરખ મરવા, જોરે ઇચ્છ્યો ઇંદ્રાણીને વરવા ।।૩૨।।

જોને યયાતિ મૂરખ જન, માગ્યું પુત્ર પાસળે જોબન ।

એહ આદિ મોટા મોટા જેહ, થયા વિકળ તનમાં તેહ ।।૩૩।।

હવે બીજા રહ્યા જેહ જન, તેનાં ક્યાંથી સ્થિર હોય મન ।

માટે પુરૂષતન જે પામ્યા, તેતો લાજ ધરમને વામ્યા ।।૩૪।।

પાપ મૂર્તિ પુરૂષપિંડ, નર મળે મળ્યો નરક કુંડ ।

તેમાં પડે છે પાપણી જઇ, લજજાવોણી અભાગણી થઇ ।।૩૫।।

હારી મનખો થઇ હેરાણ, જેના પુરૂષે હરાણા પ્રાણ ।

નથી સુખ છે દુઃખ અલેખે, તેમાં અભાગણી સુખ દેખે ।।૩૬।।

હવે કહું જે આપણી રીત્ય, પ્રભુ વિના ન રાખવી પ્રીત્ય ।

પંચ હાથ પુરૂષથી પરૂં, રહેવું ખબડદાર તે ખરૂં ।।૩૭।।

વાટે ઘાટે ન જાવું એકલું, જો ઇચ્છવું પોતાનું ભલું ।

નરસામાં ન જોડિયે નેણ, વળી ભૂલે ન બોલિયે વેણ ।।૩૮।।

સંભારીએ ન સુણિએ વાત, હાસરસે ન ર્સ્પિશએ ગાત ।

ગુહ્યવાર્તા ભૂલ્યે ન કરીએ, પુરૂષાકાર ચિત્ર પ્રહરિયે ।।૩૯।।

તાત ભ્રાત ને સુત સંગાતે, એશું વસિયે નહિ એકાંતે ।

પડે કામ અવશ્ય એ સંગ, ત્યારે બોલવાનો છે પ્રસંગ ।।૪૦।।

ત્યાગી ત્રિયાને તીર્થે જો જાવું, સંબંધિસંગે તીર્થમાં નાવું ।

દ્રવ્ય રાખવું નિર્વાહ કાજ, નહિતો આપણી ન રહે લાજ ।।૪૧।।

અન્ન વસ્ત્ર અંગને જોયે, જાય જાચવા તો ધર્મ ખોયે ।

જાડું મોટું મળે જેવું પટ, તેણે કરીને ઢાંકિયે ઘટ ।।૪૨।।

ખારૂં ખાટું મળે જેવું અન્ન, જમી કરીયે હરિભજન ।

આપણું છે અબળાનું તન, તેમાં રાખવી જોઇએ જતન ।।૪૩।।

ઘણું વરતવું ઠાવકું ઠીક, અતિ આણી અંતરમાં બીક ।

જેમ દોરે ચડે નટનારી, ચુકે નજરતો થાય ખુવારી ।।૪૪।।

માટે રહેવું સદાય સચેત, હરિ વિના ન રાખવું હેત ।

આણી અંતરમાંહિ વૈરાગ્ય, કરવાં તન મન સુખ ત્યાગ ।।૪૫।।

એવી સાંભળી શીખની વાત, સવેર્બાઇઓ થઇ રળિયાત ।

સત્ય વારતા છે એજ સાચી, એમ સમજયા વિના વાત કાચી ।।૪૬।।

પૂર્વછાયો-

એ રીત ત્યાગી ત્રિયાની, જેણે તજયો સર્વે સંસાર ।

હવે કહું રીત્ય ભાઇની, સાંખ્યયોગી ગૃહી ઉદાર ।।૪૭।।

ઇતિશ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તકશ્રીસહજાનંદસ્વામિશિષ્યનિષ્કુળા-નંદમુનિવિરચિતેભક્તચિંતામણિમધ્યે સાંખ્યયોગી બાઇયોનાં વ્રતમાન કહ્યાં એ નામે એકસો ને અગિયારમું પ્રકરણમ્ ।।૧૧૧।।