૪૨. વર્ણીએ રામાનંદસ્વામીને લખેલ પત્રમાં ભકિત તથા પ્રભુદર્શનની ઉત્કંઠા દર્શાવી તત્કાળ દર્શન દે

Submitted by swaminarayanworld on Tue, 05/07/2011 - 8:44pm

પૂર્વછાયો-

સ્વસ્તિ શ્રીભુજનગરમાં, રહ્યા રાજઅધિરાજ ।

સવેર્શુભ શોભા ત્યાં રહે, જીયાં આપ બિરાજો મહારાજ ।।૧।।

સર્વે સદ્ગુણ મણિતણી, ધરી રહ્યા તમે માળ ।

ભક્તજનના મંડળમાં, બહુ શોભોછો દયાળ ।।૨।।

જે જન આવે આશરે, તેને આપો છો અભયદાન ।

કૃષ્ણભક્તિ પ્રગટ કરી, આ સમે તમે ભગવાન ।।૩।।

સવેર્ગુરૂના ગુરૂ તમે, આપે ઉદ્ધવ છો તમે આજ ।

એવા સ્વામી રામાનંદજી, જયકારી પ્રવર્તો મહારાજ ।।૪।।

ચોપાઇ-

તમે સાક્ષાતકાર ઉદ્ધવ, પ્રકટ્યા જીવ તારવાને ભવ ।

ધર્મરક્ષા કરવાને કાજ, તમે જન્મ લીધો છે મહારાજ ।।૫।।

અવધપુરી અજયવિપર, લીધો જન્મ સુમતિ ઉદર ।

એવા ઉદ્ધવ તમે રામાનંદ, જિજ્ઞાસુ જીવના સુખકંદ ।।૬।।

તેને પૃથ્વી ર્સ્પિશ નમસ્કાર, કરૂં છું હું હજારો હજાર ।

એમ કરી લખું છું વિનંતિ, તમે સાંભળજયો મહામતિ ।।૭।।

નીલકંઠ વર્ણી મારૂં નામ, તમ શરણ વિના નથી ઠામ ।

એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજયો અમારી ।।૮।।

કોશળદેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી ।

પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે ।।૯।।

એમ કરતાં આવ્યો લોજ આંઇ, રહ્યો છું તમારા સંત માંઇ ।

કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરૂં આગ્રહ તે કહું મહારાજ ।।૧૦।।

તપ કરૂં છું કઠણ તને, નથી મોળો હું પડતો મને ।

ચારે માસ ચોમાસાના જેહ, કરૂં ધારણા પારણા હું તેહ ।।૧૧।।

વર્ષો વરસ ર્કાિતક માસ, કરૂં છું સામટા ઉપવાસ ।

વળી એ માસમાં કોઇ સમે, કરૂં કૃચ્છ્રવ્રતને તે અમે ।।૧૨।।

ત્યાર પછી માઘ માસમાંય, કરૂં પારક કૃચ્છ્ર કહેવાય ।

ચાંદ્રાયણ એકાદશી લઇ, સવેર્વ્રત કરૂં છું હું સઇ ।।૧૩।।

કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ નથી મને મહારાજ ।

પંચ વિષયથી મન ઉતારી, કરૂં છું તપ કઠણ ભારી ।।૧૪।।

તેણે કરીને શરીરમાંઇ, લોહિ માંસ ગયું છે સુકાઇ ।

પ્રાણ રહ્યા તણી એક રીત, નથી રાખી મેં ચિંતવ્યું ચિત ।।૧૫।।

કૃષ્ણદ્રશ્ન આશા સુધાવેલ, તેણે જાણો આ પ્રાણ રાખેલ ।

નહિતો અન્ન વિના મારો દેહ, વળી ચાલે એવા પ્રાણ જેહ ।।૧૬।।

તેને રહેવા બીજું આલંબન, નથી બહુ મેં વિચાયુર્ં મન ।

કળિયુગે અન્નસમા પ્રાણ, સર્વે જાણે છે જાણ અજાણ ।।૧૭।।

માટે મારા પ્રાણ નથી એવા, સહુ જાણે છે સતયુગ જેવા ।

વળી અષ્ટાંગ યોગથી ઘણું, ઉપન્યું છે જે ઐશ્વર્યપણું ।।૧૮।।

તેણે કરી દેહ ક્રિયા જેહ, વળી તપ ઉપવાસ તેહ ।

નથી પડતા તે કઠણ કાંઇ, તે તો પ્રભુ તમારી કૃપાઇ ।।૧૯।।

એવો કૃષ્ણભક્ત મને જાણી, મળજયો મારે માથે મહેર આણી ।

મારે માત તાત બંધુ લૈયે, સુહૃદ સ્વામી ગુરૂ કૃષ્ણ કૈયે ।।૨૦।।

તેહ કૃષ્ણવિષે છે સ્નેહ, બંધાણા છે મન પ્રાણ દેહ ।

તે વિના બીજે પ્રીત બંધાણી, તે તો શ્રીકૃષ્ણના ભક્ત જાણી ।।૨૧।।

તે વિના પંચ વિષય દેનાર, વા હોય સંબંધી નરનાર ।

તેને નોય જો કૃષ્ણમાં પ્રીત્ય, તો તજું તેને વૈરિની રીત્ય ।।૨૨।।

તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે ।

આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહી કાંઇ ખોટે ।।૨૩।।

જુવો વિભીષણે તજયો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત ।

તજી વિદુરે કુળની વિધિ, ઋષિપત્નીએ તજયાં સંબંધી ।।૨૪।।

ગોપીએ તજયો પતિનો સંગ, તજયો પુત્ર વેન રાજા અંગ ।

તજયો પ્રહ્લાદે પિતાને વળી, તેમ ગુરૂ તજયો રાજા બળી ।।૨૫।।

તેની અપર્કીિત નવ થઇ, સામું ર્કીિત શાસ્ત્રમાંહી કઇ ।

માટે એ રીત્ય અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યાં પ્રહરી ।।૨૬।।

માટે કૃષ્ણભક્ત મને વહાલા, બીજા સવેર્લાગ્યા છે નમાલા ।

જેને તમારા જનશું નેહ, તેજ પામ્યા છે મનુષ્યદેહ ।।૨૭।।

બીજા જીવ છે પશુ સમાન, જેને વિષયસંબંધિ છે જ્ઞાન ।

તેમાં ને પશુમાં ફેર નથી, એમ વિચારૂં છું હું મનથી ।।૨૮।।

મનુષ્યદેહને ઇચ્છે છે દેવ, જે પામી ન કરી હરિસેવ ।

તે તો પશુ પુછશિંગહીણ, મર હોય ગુણી પરવીણ ।।૨૯।।

કૂળ ર્કીિત રૂડા ગુણ રૂપ, હોય અૈશ્વર્યે કરી અનુપ ।

તેતો જક્તમાં શોભે છે ઘણું, જેમ શોભે ફળ ઇંદ્રામણું ।।૩૦।।

સર્વે ગુણ તો શોભે છે ત્યારે, કૃષ્ણભક્તિ કરે જન જયારે ।

કૃષ્ણભક્તિહીણ ગુણ હોય, વણ લુણે વ્યંજન સમ સોય ।।૩૧।।

ભક્તિહીણ બ્રહ્મલોક જાય, તોપણ કાળ થકી ન મુકાય ।

ભગવાનનું અંતરમાં સુખ, નથી પામતા હરિવિમુખ ।।૩૨।।

માટે કૃષ્ણની ભક્તિ છે મોટી, જેથી સુખી થયા કોટિ કોટિ ।

શિવ બ્રહ્મા ઇંદ્ર શુકાદેલી, કરે છે ભક્તિ માનને મેલી ।।૩૩।।

જેમ કરે છે બીજા સહુ જીવ, તેમ કરે છે બ્રહ્મા ને શિવ ।

રાધાઆદિ શક્તિઓ અપાર, કરે સેવા દાસી જેમ દ્વાર ।।૩૪।।

અલ્પ જીવ કૃષ્ણભક્તિ કરે, તો તે કાળ કર્મ ભયથી તરે ।

બ્રહ્મા હોય જો ભક્તિએ હીણો, તો તે પણ છે કાળ ચવિણો ।।૩૫।।

એવું માહાત્મ્ય શ્રીકૃષ્ણતણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું ।

માટે મેલી આળસ હું અંગે, કરૂં છું ઉગ્ર તપ ઉમંગે ।।૩૬।।

તેતો કૃષ્ણ પ્રસન્ન થવા માટ, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ ।

પામશે ચિત્ત નિરાંત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જયારે ।।૩૭।।

માટે સંત વચને બંધાઇ, રહ્યો છું તમારા સાધુમાંહી ।

વળી જોઉં છું તમારી વાટ, અતિવિરહમાં કરૂં છું ઉચાટ ।।૩૮।।

કૃષ્ણર્કીિત વિના પદગાન, શબ્દ લાગે ત્રિશૂળ સમાન ।

નારી રૂપાળી લાગે છે એવી, જાણું ભૂખી રાક્ષસણી જેવી ।।૩૯।।

વળી સુગંધી પુષ્પની માળ, તેતો લાગે છે કંઠમાં વ્યાળ ।

ચંદન કેસર ને કુંકુમ, તે લેપન લાગે પંકસમ ।।૪૦।।

કૃષ્ણ વિષે રહ્યું મારૂં મન, રહેવું પ્રાસાદે લાગે છે વન ।

ઝીણાં ઘાટાં અંબર છે જેહ, થયાં સર્પસમ મને તેહ ।।૪૧।।

નાના પ્રકારનાં જે ભોજન, તે લાગે છે ઝેર જેવાં અન્ન ।

વળી જે જે વસ્તુ સુખકારી, તે સવેર્મને થઇ છે ખારી ।।૪૨।।

કૃષ્ણ દર્શન વિના છું ઘેલો, સ્વામી મેલજો સંદેશો વહેલો ।

તમારૂં દર્શન જયારે થાશે, ત્યારે સવેર્દુઃખ મારાં જાશે ।।૪૩।।

માટે કૃપા કરી દર્શન દેજયો, વિરહાબ્ધિમાં બુડ્યાં બાંયે ગ્રેજયો ।

જેમ વર્તે છે પોતાને મન, એવાં લખ્યાં ર્વિણએ વચન ।।૪૪।।

જેવું છે પોતાનું વરતંત, તેતો લખતાં ન આવે અંત ।

લખ્યું સંક્ષેપે સાર એટલું, ન લખાય જેમ છે તેટલું ।।૪૫।।

એ છે મુમુક્ષુને ઉપદેશ, કહ્યો કૃષ્ણ ભક્તનો રહસ્ય ।

પણ કૃષ્ણ બીજા નથી કોઇ, સમજો શ્રીપુરૂષોત્તમ સોઇ ।।૪૬।।

એમ પત્રી લખી પુરી કીધી, લઇ મુક્તાનંદજીને દીધી ।

પછી મુક્તાનંદે પત્ર લીધો, પોતાના પત્ર ભેળો તે કીધો ।।૪૭।।

બિડી બેઉ લખ્યું સરનામ, પછી તેડ્યા ભટ મયારામ ।

કહ્યું આ કાગળ ઉતાવળ્યે, પહોંચાડો શ્રીસ્વામીની પાસળ્યે ।।૪૮।।

કહેજયો મુખે સર્વે સમાચાર, આવે વહેલા તે કરજયો વિચાર ।

પછી મયારામ લાગી પાય, ચાલ્યા ભુજનગરને રાય ।।૪૯।।

સપ્ત દિને પહોંચ્યા ભુજ શહેર, સ્વામી હતા ગંગારામ ઘેર ।

નિરખી વિપ્ર પામ્યો છે આનંદ, કેવા શોભે છે તે સુખકંદ ।।૫૦।।

નેણાં કમળદળસમ દોય, પૂર્ણ શશીસમ મુખ સોય ।

ગૌર શરીર અજાન કર, સુંદર શ્વેત પહેર્યાં છે વસ્તર ।।૫૧।।

વાંકી ભ્રકુટી મંદમંદહાસ, પ્રસન્નવદને કરે છે વિલાસ ।

કમળ સરીખાં છે ચરણ દોય, ભક્ત રહ્યા છે તે સામું જોય ।।૫૨।।

આપે છે નિજજનને આનંદ, સુખદાયી સ્વામી રામાનંદ ।

એવા નિરખી મયારામે નાથ, આપ્યા પત્ર બે સ્વામીને હાથ ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે નીલકંઠર્વિણએ પત્ર લખ્યો એ નામે બેતાલીશમું પ્રકરણમ્ ।।૪૨।।