ગઢડા પ્રથમ – ૨૫ : વીસ કોશના પ્રવાહનું

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 9:26pm

ગઢડા પ્રથમ – ૨૫ : વીસ કોશના પ્રવાહનું

      સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૭ સપ્‍તમીને દિવસ પ્રભાત સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિષે પધાર્યા હતા ને ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

     પછી શ્રીજીમહારાજ કૃપા કરીને બોલ્‍યા જે. “સ્‍વધર્મે યુકત એવો જે ભગવાનનો ભકત તેના અંતરને વિષે તો પોતાનું યથાર્થ પૂર્ણકામપણું મનાતું નથી અને તે પૂર્ણકામપણું તો આત્‍મનિષ્‍ઠા ને ભગવાનના માહાત્‍મ્‍યનું જ્ઞાન તેણે કરીનેજ થાય છે અને એ બેમાં જેટલી ન્‍યૂનતા રહે છે તેટલી પૂર્ણકામ-પણામાં ન્‍યૂનતા રહે છે. માટે એ બે વાનાં તો ભગવાનના ભકતને દઢપણે સાધવાં. અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે, અને હમણાં અમે એક હરિભકતને સમાધિ કરાવી હતી, તે તેને તેજ અતિશે દેખાણું તે તેજને જોઇને ચીસ પાડવા માંડી ને કહ્યું જે “હું બળુ છું” માટે સમાધિવાળાને પણ આત્‍મજ્ઞાનનું જરૂર કામ પડે છે, અને પોતાનું સ્‍વરૂપ આત્‍મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચ્‍યપ રહી જાય છે, અને અમે તે હરિભકતને સમજાવ્‍યું જે ‘તારૂં સ્‍વરૂપ તો આત્‍મા છે, દેહ નથી ને આ લાડકીબાઇ નામ અને ભાટનો દેહ તે તું નથી, અને અછેદ્ય, અભેદ્ય એવો જે આત્‍મા તે તારૂં સ્‍વરૂપ છે.’ પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું જે, “ગણપતિને સ્‍થાનકે ચાર પાંખડીનું કમળ છે ત્‍યાં જઇને તારું સ્‍વરૂપ જો” અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્‍થાનકે જાય છે ત્‍યારે ત્‍યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે અને તેથી પર બ્રહ્માના સ્‍થાનકને વિષે જાય છે ત્‍યારે તેથી નાદ પણ ધણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ધણોે દેખાય છે અને તેથી પર વિષ્ણુને સ્‍થાનકે જાય છે ત્‍યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઉચા ઉચા સ્‍થાનકને વિષે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશે નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે તે ગમે તેવો ધીરજવાન હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અજર્ુુન ભગવાનના અંશ હતા અને મહા શૂરવીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહિ, માટે એમ બોલ્‍યા જે “હે મહારાજ ! આ રૂપ જોવાને હું સમર્થ નથી માટે તમારૂં જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારૂં દર્શન કરાવો” એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિષે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને  જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્‍યારે ધીરજ રહેતી નથી તે સારૂ દેહ થકી પોતાનું સ્‍વરૂપ જુદું સમજવું જોઇએ, અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે એકતો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ કયારે થાય છે તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય અને તે ભગવાનને વિષે વૃત્તિ કયારે જોડાય તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્‍વરૂપની વાસના થાય. ત્‍યારે તે વૃત્તિ કોઇની હઠાવી ભગવાનના સ્‍વરૂપમાંથી પાછી હઠે નહિ. જેમ કોઈ કુવો હોય ને તે ઉપર વીશ કોશ ફરતા હોય ને તેનો પ્રવાહ જાુદો જાુદો ચાલતો હોય ત્‍યારે તે પ્રવાહમાં જોર હોય નહિ અને તે વીશે કોશનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય. તે કોઇનો હઠાવ્‍યો પાછો હઠે નહિ. તેમ જેની વૃત્તિ નિવર્ાસનિક થાય છે ત્‍યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્‍વરૂપમાં જોડાય છે. અને જેને ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્‍દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્‍દ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઇ જાય છે, તેમજ ત્‍વચા ઇન્‍દ્રિય દ્વારે હજારો જાતના જે સ્‍પર્શ તેને વિષે જુદી જુદી વૃત્તિ ફેલાઇ જાય છે, તેમજ નેત્ર ઇન્‍દ્રિયની વૃત્તિ તે હજારો જાતનાં જે રૂપ તેને વિષે ફેલાઇ જાય છે, તેમજ રસના ઇંદ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઇ જાય છે, તેમજ નાસિકા ઇન્‍દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઇ જાય છે, તેમજ કર્મ ઇન્‍દ્રિયોેની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિષે હજારો પ્રકારે ફેલાઇ જાય છે.  એેવી રીતે દશે ઇન્‍દ્રિયો દ્વારે એનું અંત:કરણ છે તે હજારો પ્રકારે ફેલાઇ ગયું છે, તે જ્યારે ચિત્ત તે ભગવાનનું જ ચિંતવન કરે અને મન તે ભગવાનનો જ ઘાટ ધડે અને બુદ્ધિ તે ભગવાનના સ્‍વરૂપનોજ નિશ્વય કરે અને અહંકાર તે “હું આત્‍મા છું ને ભગવાનનો ભકત છું” એવુંજ અભિમાન ધરે ત્‍યારે તેની એક વાસના થઇ જાણવી અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્‍ટાંગયોગે કરીને થાય છે, તે અષ્‍ટાંગયોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્‍યાહાર, ધારણા, ઘ્‍યાન અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુકત છે, અને અષ્‍ટાંગ યોગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિષે નિર્વિકલ્‍પ સમાધિ છે, તે જ્યારે એવી નિર્વિકલ્‍પ સમાધિ થાય છે ત્‍યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનોે નિરોધ થાય છે, અને જો ચિત્ત નિર્વાસનિક થઇને ભગવાનને વિષે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્‍ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્‍વરૂપને વિષે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભકતની ચિત્તવૃત્તિ ભગવાનના સ્‍વરૂપને વિષે જોડાણી તેને અષ્‍ટાંગયોગ વગર સાધે સધાઇ રહ્યો, માટે અમે કહ્યાં જે આત્‍મનિષ્‍ઠા અને ભગવાનના માહાત્‍મ્‍યનું જ્ઞાન એ બે સાધન તે દ્ઢપણે રાખવાં અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા, જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું, ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઇ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવેજ નહિ, તેમ સત્‍સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવોજ નહિ, કેમજે એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. અને ભગવાનનું માહાત્‍મ્‍ય જ્ઞાન તથા વૈરાગ્‍ય સહિત આત્‍મજ્ઞાન એ બેની અતિશે દઢતા રાખવી  અને પોતાને વિષે પૂર્ણકામપણું સમજવું, જે “હવે મારે કયાંઇ ન્‍યૂનતા રહી નથી” એમ સમઝીને નિરંતર ભગવાનની ભકિત કરવી. અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહિ અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહિ, અને જો પોતાને અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઇ તે જાણીએ ખારાપાટમાં બીજ વાવ્‍યું તે ઉગ્‍યું જ નહિ અને જો છકી જઇને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્‍નિમાં બીજ નાખ્‍યું તે બળી ગયું, માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઇ પ્રકારની ન્‍યૂનતા રહે નહિ.” એમ કહીને શ્રીજીમહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૫||