ગઢડા પ્રથમ – ૧૪. ‘અંતે યા મતિ: સા ગતિ:’નું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 12:48pm

ગઢડા પ્રથમ – ૧૪. ‘અંતે યા મતિ: સા ગતિ:’નું

સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૨ બીજને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાધ બાંધી હતી અને ધોળો ખેસ પહેયર્ો હતો. અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાધમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા અને તે ગુચ્‍છની ઉપર ગુલાબનાં પુષ્પ વિરાજમાન હતાં અને કંઠને વિષે પીળા પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે “એક હરિજન છે તે સંસારને તજીને નીસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્‍યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે, એવો એક ત્‍યાગી ભકત છે. અને તેને ભગવાનનો નિશ્વય પણ દઢ છે અને વળી બીજો ગૃહસ્‍થ ભકત છે તેને પણ ભગવાનનો નિશ્વય દઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્‍યાગીને જગતમાં વાસના છે, તેટલી તે ગૃહસ્‍થને પણ વાસના છે. એ બે જે ભગવાનના ભકત તેમાં કોણ શ્રેષ્‍ઠ છે ? ”પછી મુકતાનંદ સ્‍વામી બોલ્‍યા જે “એ ત્‍યાગી ભકત શ્રેષ્‍ઠ છે,” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ઓલ્‍યો મુંઝાઇને પોતાની મેળે ભેખ લઇને નીસર્યો છે તે કેવી રીતે શ્રેષ્‍ઠ છે ? અને ગૃહસ્‍થ તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્‍યૂન છે ? પછી શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું મુકતાનંદ સ્‍વામીએ બહુ પ્રકારે સમાધાન કયુર્ં પણ સમાધાન થયું નહિ. પછી મુકતાનંદ સ્‍વામી બોલ્‍યા જે, “હે મહારાજ ! તમે ઉત્તર કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ત્‍યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે અને જો કાચી મતિવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ધણું દુ:ખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય, એવા ત્‍યાગી કરતાં તો ગૃહસ્‍થ ધણો સારો, કેમ જે, ગૃહસ્‍થ ભકતને જ્યારે દુ:ખ પડે અથવા ધણું સુખ આવી પડે ત્‍યારે તે એમ વિચાર રાખેજે, “રખે મારે આમાંથી બંધન થાય” એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે; માટે ત્‍યાગી તો તે ખરો જે, “જેણે સંસાર મુકયો ને પાછી સંસારની વાસના રહે જ નહિ” અને ગૃહસ્‍થ તો વાસનાવાળા ત્‍યાગી કરતાં ધણો શ્રેષ્ઠ છે જો ગૃહસ્‍થના ધર્મ સચવાય તો, પણ ગૃહસ્‍થના ધર્મ ધણા કઠણ છે અને અનંત પ્રકારનાં સુખદુ:ખ આવી પડે ત્‍યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહિ અને એમ સમજે જે “સંતનો સમાગમ મળ્‍યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્‍પવૃક્ષ મળ્‍યો છે અને ધન, દોલત, દીકરા, દીકરી એ તો સર્વે સ્‍વપ્નતુલ્‍ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્‍યો એજ છે.” એમ સમજે અને ગમે તેવું ભારે દુ:ખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્‍થ તે અતિ શ્રેષ્‍ઠ છે. અને સૌ કરતાં ભગવાનના ભકત થાવું એ ધણું કઠણ છે. અને ભગવાનના ભકતનો સમાગમ મળવો ધણો દુર્લભ છે,” એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાનાં મુકતાનંદ સ્‍વામીનાં કીર્તન ગવરાવ્‍યાં.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિઃ સા ગતિઃ એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિષે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય. એવો એ શ્રુતિનો અર્થ ભાસે છે, ત્‍યારે જે ભકિત કરી હોય તેનો શો વિશેષ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્‍તિ થઇ છે તેને અંતકાળે સ્‍મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્‍યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતાં- ચાલતાં દેહ મુકેછે તો પણ તેનું કલ્‍યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. અને કેટલાક પાપી કસાઇ હોય તે બોલતાં ચાલતાં દેહ મુકે છે અને ભગવાનનો ભકત હોય અને તેનો અકાળ મૃત્‍યુ થયો તે માટે શું તેનું અકલ્‍યાણ થાશે ? અને તે પાપીનું શું કલ્‍યાણ થાશે ? નહિ જ થાય. ત્‍યારે એ શ્રુતિનો અર્થ એમ કરવો જે, જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે.” માટે તે જે ભકત છે તેની મતિમાં એમ રહ્યું છે જે “મારૂં કલ્‍યાણ તો થઇ રહ્યું છે” તો તેનું કલ્‍યાણ અંતકાળે થઇ રહ્યું છે, અને જેને સંતની પ્રાપ્‍તિ નથી થઇઅને ભગવાનના સ્‍વરૂપની પણ પ્રાપ્‍તિ નથી થઇ તેની મતિમાં તો એમ વર્તે છે જે “હું અજ્ઞાની છું અને મારૂં કલ્‍યાણ નહિ થાય.” તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઇ કરવું રહ્યું નથી; એનાં દર્શને કરીને તો બીજા જીવનું કલ્‍યાણ થાય છે તો એનું કલ્‍યાણ થાય એમાં શું કહેવું ? પણ ભગવાનનું દાસપણું આવવું તે ધણું કઠણ છે કેમ જે, ભગવાનના દાસ હોય તેનાં તો એ લક્ષણ છે જે “દેહને મિથ્‍યા જાણે અને પોતાના આત્‍માને સત્‍ય જાણે અને પોતાના જે સ્‍વામી તેને ભોગવ્‍યાનાં જે પદાર્થ તેને પોતે ૧ભોગવવાને અર્થે ઇચ્‍છે જ નહિ અને પોતાના સ્‍વામીનું ગમતું મુકીને બીજું આચરણ કરે જ નહિ, એવો હોય તે હરિનો દાસ કહેવાય અને જે હરિનો દાસ હોય તે દેહરૂપે વર્તે તો તે પ્રાકૃત ભકત કહેવાય.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૧૪||

તા-૦૩/૧૨/૧૮૧૯ શુક્રવાર