ગઢડા પ્રથમ – ૫. ઘ્‍યાનના આગ્રહનું

Submitted by swaminarayanworld on Sat, 08/01/2011 - 10:55am

ગઢડા પ્રથમ – ૫. ઘ્‍યાનના આગ્રહનું

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ઘ્‍યાન કરવું અને તે ઘ્‍યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ઘ્‍યાન કરવું, પણ કાયર થઇને તે ઘ્‍યાનને મુકી દેવું નહિ, એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભકિતએ કરીને ભગવાન એને વશ થઇ જાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫||

તા-૨૪/૧૧/૧૮૧૯ બુધવાર