૧૩૫. મુકતાનંદસ્વામી, આત્માનંદસ્વામી અને અનંતાનંદમુનિને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:18pm

પૂર્વછાયો- વળી કહું એક વારતા, સાંભળી છે સુંદર સોય ।

સામર્થી શ્રીમહારાજની, સાંભળજયો સહુ કોય ।।૧।।

સત્સંગ સૂર્ય સમ શોભિયો, અજ્ઞાની ઉલુક થયા અંધ ।

મુક્ત જક્તમાંહિ જોઇને, બળી ઉઠ્યા માયાના બંધ ।।૨।।

તેણે ઉપાધી આદરી, કરે સાધુને સંતાપ ।

મનસુબો કરે મારવા, એવું પાપીને મન પાપ ।।૩।।

સંત ફરે સર્વે દેશમાં, કરવા પ્રભુની વાત ।

ભેખ અસુર ભેળા થઇ, માંડ્યો અતિ ઉતપાત ।।૪।।

ચોપાઇ- ભેખધારી તે દ્વેષ કરે છે, કહે સ્વામીના સાધુ ફરે છે ।

તેને મરાવી નાખીયે જયારે, થાય આપણને સુખ ત્યારે ।।૫।।

માટે સહુ મળીને વિચારીયે, એના મોટા મોટાને મારીયે ।

મુક્તાનંદ આદિ જે મોટેરા, છે અધિકારી સતસંગ કેરા ।।૬।।

મોરથી એનો આણિયે અંત, તો સહુ થાયે આપણે નચિંત ।

પછી અમદાવાદને માંઇ, સ્વામી મુક્તાનંદ હતા ત્યાંઇ ।।૭।।

તેને આપિયું હળાહળ વિષ, પાપીયે પરસાદિને મિષ ।

તિયાં શ્રીહરિયે કરી સહાય, પ્રસાદી ન મેલી મુખમાંય ।।૮।।

પણ ચંદનમાં હતું મૃત, તેતો ર્ચિચયું અંગમાં તુર્ત ।

અતિ આકરૂં ઝેર છે જેહ, સ્પશેર્ રહે નહિ કેનું દેહ ।।૯।।

તેતો ચચ્યુર્ં મુક્તાનંદ તને, તિયાં સહાય કરી ભગવને ।

મુક્તાનંદને ન આવ્યો આલ, ગઇ ચર્ચનારા કરખાલ ।।૧૦।।

જેણે નજર ભરી જોયું એજ, તેનું ક્ષીણ થયું નેણતેજ ।

એવું હળાહળ વિષ ભારી, તેથી મુક્તને લીધા ઉગારી ।।૧૧।।

એમ શ્રીહરિએ કરી સાર, મુક્તાનંદજીની વાલે વાર ।

બીજી વાત કહું એક વળી, સહુ મુદિત થાશો સાંભળી ।।૧૨।।

મોટી મંડળી બાંધી મહંત, ગયા સુરત શહેરમાં સંત ।

અતિ ત્યાગી ધન ત્રિયાતણા, જ્ઞાની ધ્યાની ને ભજની ઘણા ।।૧૩।।

મુમુક્ષુને મેળવે મહારાજ, આપી ઉપદેશ કરે કાજ ।

બીજે ભેખે ભયુર્ં સારૂં શહેર, જેને ધર્મ દયા નહિ મહેર ।।૧૪।।

તેણે સાચા સંતને સાંભળી, ભેખ ઉઠ્યા ઠામો ઠામ બળી ।

અતિ દ્વેષે વસાવિયું વેર, આપ્યું ભિક્ષાની ઝોળીમાં ઝેર ।।૧૫।।

ખાધું ષટદશ સંતે મળી, જમતાં વેંત પડ્યા ભોંયે ઢળી ।

મળ્યો કંઠ પડી જીભ ટુંકી, નાડી સહુની ગઇ ઘર મુકી ।।૧૬।।

તેહ સમે આવ્યા મહારાજ, વિષ જનનું વાળવા કાજ ।

આપ્યાં અલૌકિક દરશન, નિરખી જન થયા છે મગન ।।૧૭।।

હતું વિષનું દુઃખ અપાર, નાથ નિરખી ન રહ્યું લગાર ।

એમ ઉગારિયા નિજજન, આપી પરચો એ ભગવન ।।૧૮।।

વળી વાત એક સુણો સહુ, સંત સહાય કરે હરિ બહુ ।

એક ગામ નામે જલસેણ, તિયાં સંત ગયા સુખદેણ ।।૧૯।।

કરે હરિ કથા કરી પ્રીત, અતિ તને ત્યાગી ઇંદ્રિજીત ।

દિયે મોક્ષ મારગ દેખાડી, સત્ય અસત્ય વિગતિ પાડી ।।૨૦।।

એવા દેખી સાધુ શિરોમણિ, થઇ દુષ્ટ દલે દાઝ્ય ઘણી ।

આતો ખરા વેરી છે આપણા, જાય જીવથી તો ન રહે મણા ।।૨૧।।

પછી પાપી નરે પરિયાણ્યું, મુનિ મારવાને વિષ આણ્યું ।

મુકી રાખ્યું તે અન્નમાં મેલી, નાખ્યું ઝોળીમાંહિ ઝેર ભેળી ।।૨૨।।

ખાધંુ સંત મળી વળી ચારે, પડ્યું પેટમાંહિ ચડ્યું ત્યારે ।

અતિ વિષ આકરૂં અગાધ, ખાતાં વેંત રહિ નહિ સાધ ।।૨૩।।

નીલા કાચસમ થઇ કાયા, આવી મુઝ્ય ને સંત મુઝાયા ।

રૂંધ્યો કંઠ બોલી બંધ થઇ, ઉગરવાની આશા ન રહી ।।૨૪।।

કરે અંતરમાંહિ ભજન, આવો અંતકાળે ભગવન ।

એકવાર દરશન દીજે, સ્વામી સાર સેવકની લીજે ।।૨૫।।

એમ કહેતાં આવ્યા અવિનાશ, પ્રભુજી સંત પોતાના પાસ ।

આવ્યા અલૌકિકરૂપે આપ, હર્યો સંતનો તર્ત સંતાપ ।।૨૬।।

વિષ વાળી દિધું દરશન, નિરખી જન થયા પરસન ।

કહે ધન્ય ધન્ય મહારાજ, તમે મૃત્યુથી ઉગાર્યો આજ ।।૨૭।।

તમે આવત નહિ આવાર, અમે ચાલ્યા હતા સંત ચાર ।

એમ કહીને લાગિયા પાય, ધન્ય નાથ કરી તમે સાય ।।૨૮।।

એમ ઉગારિયા નિજજન, પૂર્યો પરચો એ ભગવન ।

જેહ સંતને આપ્યું આનંદ, તેનું નામ છે આતમાનંદ ।।૨૯।।

વળી વાત કહું કરી વિવેક, સ્વામી અનંતાનંદની એક ।

ગયા ફરવા કરવા વાત, પ્રભુ પ્રકટની તે સાક્ષાત ।।૩૦।।

શહેર બુરાનપુરમાં જઇ, કરે વાત પ્રભુની ત્યાં રઇ ।

એક દિવસે સંત બેચ્યાર, ગયા નાવાને તાપી મોઝાર ।।૩૧।।

ભોળા સંત પડ્યા પૂરમાંઇ, જેને સાન ગમાન ન કાંઇ ।

પાણી અથાહ વહે ભમરી, પડ્યા તે મધ્યે ન જાણે તરી ।।૩૨।।

લીધા ભમરીયે ઘાલ્યા તળે, જેમાં આવ્યો કોઇ ન નિકળે ।

તેહમાંહિ રહ્યા ઘડી ચ્યાર, આવ્યા વાલમ કરવા વાર ।।૩૩।।

મનોહર સુંદર મૂરતિ, છબી નૌતમ અલૌકિ અતિ ।

દિધું જળમાંહિ દરશન, નિરખી હરખિયા નિજજન ।।૩૪।।

પછી ઉછાળિ કાઢિયા બહાર, એમ કરી સેવકની સાર ।

આવ્યા આરે પૂછે મળી જન, મોટું આશ્ચર્ય રહ્યું જે તન ।।૩૫।।

કહે અનંતાનંદ એ ખરૂં, આજ નિશ્ચે નોતું જે ઉગરૂં ।

કરી મહારાજે મારી સહાય, કાઢ્યો નાથે મને ઝાલી બાંય ।।૩૬।।

વળી દરશન દીધું અલૌકિ, આપે ગયા આરે મને મૂકી ।

ત્યારે સહુ કહે ધન્ય ધન્ય, પામ્યા પરચો તમે સાધુજન ।।૩૭।।

એમ જળથી જન ઉગાર્યો, મહાદુઃખમાંથી તર્ત તાર્યો ।

એવા પરચા લાખ હજાર, પ્રભુ પૂરે છે વારમવાર ।।૩૮।।

કહેતાં લખતાં ન આવે અંત, જે પામ્યા છે પ્રભુજીથી સંત ।

ઘડિઘડિ પળપળમાંય, સ્વામી કરે સેવકની સાય ।।૩૯।।

એમ નાથ ન કરે જો વાર, પડે વિઘ્ન તો લાખહજાર ।

દેવ દાનવ પશુ પનંગ, ભૂત પ્રાણી નર ધર અંગ ।।૪૦।।

એવા વિઘ્નથી ઉગારે આપ, ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ ।

જે જે આપ્યું જનને આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ ।।૪૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજે મુક્તાનંદ સ્વામી તથા આત્માનંદ સ્વામી તથા અનંતાનંદ સ્વામી એ આદિને પરચા પૂર્યા એ નામે એકસો ને પાંત્રિશમું પ્રકરણમ્।૧૩૫।