વરતાલ ૨૦ : જનકની સમજણનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:01am

વરતાલ ૨૦ : જનકની સમજણનું

સંવત્ ૧૮૮૨ના મહાશુદિ ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષની હેઠે વેદી ઉપર ગાદીતકિયા  નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ચમેલીના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને મસ્‍તક ઉપર રાતા અતલસનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, “રજોગુણમાંથી કામની ઉત્‍પત્તિ થાય છે, અને તમોગુણમાંથી ક્રોધ ને લોભની ઉત્‍પત્તિ થાય છે. માટે એ કામાદિકનું બીજ ન રહે એવું એક સાધન કયું છે. ?” પછી શુકમુનિએ કહ્યું જે, “જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ને જ્યારે આત્‍મદર્શન થાય ત્‍યારે જ એના હૃદયમાંથી કામાદિકનું બીજ બળી જાય.” પછી શ્રીજીમહારાજે આશંકા કરી જે, “શિવ, બ્રહ્મા, શ્રૃંગિઋષિ, પરાશર, નારદ એમને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી ? જે કામે કરીને એ સર્વે વિક્ષેપને પામ્‍યા. માટે એ સર્વે નિર્વિકલ્પ સમાધિવાળા જ હતા, તોપણ ઈન્‍દ્રિયોની વૃત્તિ અનુલોમ થઈ ત્‍યારે કામાદિકે કરીને વિક્ષેપને પામ્‍યા. માટે તમે કહ્યું એવી રીતે એ પ્રશ્ર્નનો ઉત્તર ન થયો, અને જેમ જ્ઞાની નિર્વિકલ્પ સમાધિને વિષે જાય ત્‍યારે નિર્વિકાર રહે છે. તેમજ અજ્ઞાની સુષુપ્‍તિનેવિષે નિર્વિકાર રહે છે. અને જ્યારે ઈન્‍દ્રિયોની વૃત્તિ અનુલોમ થાય છે. ત્‍યારે તો જ્ઞાની ને અજ્ઞાની બેય કામાદિકે કરીને વિક્ષેપને પામે છે, એમાં તો જ્ઞાની-અજ્ઞાનીનો કાંઈ વિશેષ જણાતો નથી માટે હવે બીજા પરમહંસ ઉત્તર કરો.” પછી તો ગોપાળાનંદ સ્વામી, દેવાનંદસ્વામી, નિત્‍યાનંદસ્વામી, મુકતાનંદસ્વામી, એ સર્વે મળીને જેને જેવો ભાસ્‍યો તેવો તેણે ઉત્તર કર્યો. પણ શ્રીજીમહારાજના પ્રશ્ર્નનું કોઈથી સમાધાન થયું નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેમ જનકવિદેહી હતા તે પ્રવૃત્તિમાર્ગમાં હતા તોપણ નિર્વેિકાર હતા. અને જ્યારે જનકની સભામાં સુલભા નામે સંન્યાસિની આવી, ત્‍યારે જનક રાજા સુલભા પ્રત્‍યે બોલ્‍યા જે, ‘તું મારા ચિત્તને મોહ પમાડયાનું કરે છે પણ મારા ગુરૂ જે પંચશિખ ઋષિ તેની કૃપા થકી હું સાંખ્‍ય ને યોગ એ બે મતને અનુસર્યો છું. માટે મારા અર્ધાશરીરને ચંદન ચચર્ અને અધર્ુ શરીર તલવારે કરીને કાપે એ બેય મારે બરોબર છે. અને આ મારી મિથિલાપુરી બળી જાય તો પણ મારૂં કાંઈ બળતું નથી. એમ હું પ્રવૃત્તિમાં રહ્યો થકો અસંગી ને નિર્વેિકાર છું. એવી રીતે રાજા જનકે સુલભા પ્રત્‍યે કહ્યું, અને શુકદેવજીના પણ રાજા જનક ગુરૂ કહેવાય. માટે એ પ્રશ્ર્નનો એજ ઉત્તર છે જે, ઈન્‍દ્રિયોની વૃત્તિ અનુલોમપણે વર્તતી હોય અને પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો હોય તોપણ જો રાજા જનકની પેઠે જેના હૃદયમાં, સમજણની દ્રઢતા થઈ હોય તો તે કોઈ રીતે વિકારને પામે નહિ. અને જેને જેવું જાણ્‍યું જોઈએ તેવું યથાર્થ જાણ્‍યું હોય જે આ તે સાર છે ને આ તે અસાર છે, પછી એક ભગવાનની મૂર્તિ વિના જેટલા માયિક આકાર છે તે સર્વે અતિશય દુ:ખદાયક છે ને નાશવંત છે એમ જાણે. અને પોતાને દેહ, ઈન્‍દ્રિયોને અંત:કરણ તે થકી નોખો આત્‍મારૂપ જાણે. પછી એને એવું કોઈ પદાર્થ નથી જે, મોહ પમાડવાને અર્થે સમર્થ થાય.’ કેમ જે, એ તો સર્વે માયિક આકારને તુચ્‍છ કરી જાણે છે. અને એવી રીતે જેના અંતરમાં સમજણની ધેડબેઠી હોય ને તેનાં ઈન્‍દ્રિયો પ્રવૃત્તિમાર્ગ ને વિષે સર્વે અનુલોમપણે વર્તતાં હોય તો પણ તે કામાદિકે કરીને ક્ષોભને ન પામે, એવો જે હરિભક્ત હોય, તે ત્‍યાગી હોય અથવા ગૃહસ્‍થ હોય પણ તેના હૃદયમાંથી કામાદિકનું બીજ નાશ પામી જાય છે. અને એવો જે હોય તે જ સર્વે હરિભક્તમાં શ્રેષ્‍ઠ છે. માટે ગૃહી-ત્‍યાગીનો કાંઈ મેળ નથી જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. અને શિવ, બ્રહ્માદિકને વિષે જે ખોટ કહેવાય છે તેનું તો એમ છે જે કેટલાકને વિષે તો આવી રીતની સમજણની કસર છે, ને કેટલાકને વિષે તો આવી સમજણ હોય તો પણ ભૂંડા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકને યોગે કરીને તેમને કામાદિક વિકારરૂપ ખોટ કહેવાણી છે, માટે આવી  સમજણ હોય તો પણ કોઈ પ્રકારે કુસંગ તો કરવો જ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે.”  ઇતિ વચનામૃતમ્ વરતાલનુંવરતાલનું||૨૦|| ૨૨૦ ||