સ્નેહગીતા કડવું - ૨૩

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:21pm

બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી ।
મેલી માન મોટપને મનુષ્યનુંદેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણથકી શું સર્યુંજી ।।૧।।

ઢાળ –

સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ ।
કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ ।।૨।।

બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિનેતિ નિગમ કહે ।
તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે ।।૩।।

બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે ।
વળી શશિ સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ।।૪।।

સરસ્વતી કહે ઊત્તમ ર્કીિત જેની, વળી નારદ ગુણ જેના ગાયછે ।  
સહસ્રફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે ।।૫।।

સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પુંજછે ।
પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે ।।૬।।

જેમ નદી સર ને કૂપ વાપી, ભરપુર જો હોયે ભરી ।   
પણ વારિધિ કોય વારિવડે, સુખ ન માને સુંદરી ।।૭।।

તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી ।  
એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ સાથે નવ કરી ।।૮।।

જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચતામણી ।  
શિલાસમ તેનું સુખ સમઝે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ।।૯।।

એમ થયું બાઈ આપણે, ઓળખી ન શકયાં એહને।  
નિષ્કુલાનંદને નાથે સજની, તેહ સારૂંદીધોછે છેહને ।।૧૦।। કડવું ।।૨૩।।